Mysamachar.in-જામનગર:
દર બે માસે મળતી જામનગર મહાનગરપાલિકાની સામાન્યસભા ટાઉનહોલ ખાતે મળી હતી આટલું મોટું શહેર…લાખોની વસ્તી વચ્ચે માત્ર એક એજન્ડા વાળી સામાન્યસભામાં આજે પ્રશ્નોતરી કાળમાં વિપક્ષે ભારે મજા લીધી અને શાશકપક્ષ ભાજપના તત્કાલીન કોઈ પદાધિકારી અને ભાજપના નેતાઓ સામે નામ લીધા વિના આક્ષેપો વિપક્ષના બે સભ્યો દ્વારા કરવામાં આવતા જોવા જેવી થઇ અને શાશકપક્ષના સભ્યોનું તો જાણે લોહી ઉકળી ઉઠ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.અરે મેયરને બોર્ડ આટોપી લેવાની ફરજ પડી ત્યાં સુધી…કારણ કે આક્ષેપો હતા સહન પણ કેમ થાય…
પહેલો આક્ષેપ વિપક્ષ સભ્ય રચના નંદાણીયા દ્વારા કરવામાં આવ્યો તેણે કમિશ્નરને સંબોધન કરતા કહ્યું કે જેમાં તેણે જીજી હોસ્પીટલની સામે જે દુકાનો આવેલ છે તેનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે આ દુકાનો મનપાએ સોપી અને તેનું ડીમોલીશન કરવામાં આવે આવો મુદ્દો વર્ષો પૂર્વે આવ્યો હતો.અને તે ઠરાવ જનરલ બોર્ડમાં મંજુર થયો હોવા છતાં અમલવારી થઇ નથી અને ભાજપના એક નેતાએ 70 લાખનો વહીવટ કર્યો અને તેમાં અન્ય તે સમયના નેતાઓની ભાગીદારી પણ આ 70 લાખના વહીવટમાં હોવાનો આક્ષેપ રચનાબેન દ્વારા કરવામાં આવ્યો અને માટે કોઈ કાર્યવાહી જીજી હોસ્પીટલની દુકાનો સામે થતી નથી. તો આ આક્ષેપો મામલે શાશકપક્ષના એક સભ્યે ઉભા થઇ અને પુરાવાઓ આપવા જણાવ્યું હતું. અને મેયરે આવા પાયાવિહોણા આક્ષેપોને રેકર્ડ પરથી દુર કરવા જણાવ્યું હતું.અને પાયાવિહોણા આક્ષેપો ગણાવ્યા
આ થઇ એક આક્ષેપની વાત હવે બીજા વિપક્ષ સભ્ય આનંદભાઈ રાઠોડે આક્ષેપ કરતા કહ્યું કે થોડા દિવસ પૂર્વે એવું જાણવા મળ્યું કે સતાપક્ષના એક નગરસેવક અને વિપક્ષના એક નગરસેવકે એક બિલ્ડીંગના કામમાં વહીવટ કર્યો છે, તેવું સામે આવ્યું હતું.આ મામલે સ્પષ્ટતા થવી જોઈએ તેમ કહ્યું..જેવો આ મુદ્દો આવ્યો કે શાશકમાંથી કેટલાય નગરસેવકો ઉભા થઇ ગયા અને આ મામલે વિપક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો જો કે આ મુદ્દે ભારે હોબાળો થતા પૂર્વ વિપક્ષ નેતા અસ્લમ ખીલજીએ વાતમાં સુર પુરાવતા કહ્યું કે મેં જે જાણ્યું છે કે સતાધારી પક્ષના એક સભ્ય દ્વારા 50 લાખનો વહીવટ કરવામાં આવ્યો છે અને તેમાંથી 10 લાખ વિપક્ષને આપવામાં આવ્યો છે આ મામલે બોર્ડના અધ્યક્ષે તપાસ કરવી જોઈએ…
હવે વિપક્ષના આ બન્ને સભ્યોએ કરેલ આક્ષેપોમાં કેટલો દમ તે તો વિપક્ષના સભ્યોએ સાબિત કરવા મેદાને આવવું પડે બાકી ત્યાં સુધી તો આ આક્ષેપો પાયાવિહોણા જ કહી શકાય બાકી જો સાબિતી વગર આ આક્ષેપોમાં કઈક પણ તથ્ય હોય તો આ બાબત ભારે શરમજનક કહી શકાય.કારણ કે નેતાઓ અને જનપ્રતિનિધિઓ જો આવા વહીવટ કરે તો તેનાથી શરમજનક બાબત શું હોય શકે.