Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં કોરોના મહામારી બેકાબુ બની રહી છે, ત્યારે સ્થિતિની સમીક્ષા કરવા આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુખ્ય સચિવ, પંચાયતના અધિક મુખ્ય સચિવ, આરોગ્ય સચિવ, સહિતના ઉચ્ચ અધિકારીઓ આવતીકાલે બપોરે 2 વાગ્યા આસપાસ જામનગર ખાતે આવી પહોચ્યા બાદ સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે કોરોના મહામારી અંગેની સમીક્ષા બેઠક યોજ્યા બાદ સંભવતઃ સીએમ સહિતનો કાફલો કોવીડ હોસ્પિટલની મુલાકાત લઇ શકે છે.