Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાના ફૂડ સેફટી ઇન્સ્પેકટરો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી આગામી તહેવારો જેવા કે આવતીકાલે દશેરા અને દિવાળી સહિતના તહેવારોમાં જે મીઠાઈ અને ફરસાણ જે લોકો બહારથી લઇને આરોગવાના છે તે ખાવાલાયક છે કે કેમ.? તે લોકહિતમાં ચકાસવા માટે ત્રણેય ફૂડ ઇન્સ્પેકટરોની ટીમ જહેમત ઉઠાવી રહી છે. ત્યારે ફૂડ ઇન્સ્પેકટરોના જણાવ્યા મુજબ આમ તો અમારી ટીમો દ્વારા કાયમી ચેકિંગ કરવામાં આવતું હોય છે, પણ હાલ ખાસ દિવાળી અને દશેરાના તહેવાર પહેલા ફરસાણ ચેકીંગની કામગીરી છેલ્લા બે દિવસથી હાથ ધરાઈ રહી છે, આજ સવારથી પણ આ કાર્યવાહી ચાલી રહી છે, જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 50 જેટલા ફાફડા અને જલેબીના સર્વેલન્સ નમૂના લેવાની કામગીરી કરવામાં આવી છે, વધુમાં છેલ્લા 2 દિવસમાં 12 ફોર્મલ સેમ્પલ અને 50 જેટલા સર્વેલન્સ સેમ્પલ લેવાની કામગીરી કરાઈ છે, તો ફરસાણ વિક્રેતાઓને ત્યાં TPC ચેકીંગ કરવામાં આવ્યું અને આ ચેકિંગની કાર્યવાહી આગામી દિવસોમાં પણ તહેવારોમાં યથાવત રહેશે તેમ જાણવા મળે છે.