Mysamachar.in-જામનગર:
જામનગર સહીત સૌરાષ્ટ્રમાં ફરી ચોમાસું સક્રિય થયું છે, ગઈકાલે રાજ્યના કેટલાય શહેર જિલ્લાઓમાં ગામડાઓ સુધી વરસાદ પડ્યો ત્યારે વાત જામનગર જીલ્લાની કરવામાં આવે તો તાલુકા મથકોમાં કાઈ ખાસ વરસાદ નોંધાયો નથી પણ ગ્રામીણ વિસ્તારના આંકડાઓ પર નજર કરવામાં આવે તો કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજા ગામે અઢી ઇંચ, નવગામમાં 1 ઇંચ, તો જામજોધપુર તાલુકાના સમાણા અને શેઠ વડાળામાં એક એક ઇંચ ધ્રાફામાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે.