Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં ભારે વરસાદને લઇને જામનગર શહેરના વોર્ડ નંબર 11 અને 12માં પાણી ઘરોમાં ભરાઈ જવાને કારણે કેટલાય ઘરોમાં ઘરવખરી સમ્પૂર્ણપણે નાશ થઇ જવા પામી છે, તો આજની તારીખે પણ કેટલાય ઘરો એવા છે જેમાં અનાજ પણ પલળી જતા શું ખાવું તે પ્રશ્ન છે, ત્યારે મત માંગવા નીકળતા નેતાઓ લોકોને ખરી જરૂર હતી તે સમયે ના ઉભા રહ્યા હોવાનો આક્ષેપ આ વિસ્તારના સ્થાનિક અને ભાજપના લઘુમતી શહેરના પ્રભારી ઇકબાલ ખફીએ કર્યો છે.
ઇકબાલ ખફીએ કરેલ આક્ષેપોમાં જણાવ્યું છે કે અમારા આ વિસ્તારમાં ગત સોમવારે ભારે વરસાદને કારણે રાજપાર્ક, સેટેલાઈટ સોસાયટી, સનસીટી 1, અલ્સ્ફા, ગોલ્ડન સોસાયટી, બાલનાથ સોસાયટી, સતવારા સમાજની વાડી સહિતના વિસ્તારોમાં, તો બીજી તરફ સિદ્ધનાથ સોસાયટી, રંગમતી, મહારાજા સોસાયટી ગનીપીરની દરગાહ મહાપ્રભજીની બેઠક, સહિતના વિસ્તારોમાં વરસાદ રોકાઈ ચુક્યા બાદ ગંદકીનું ભારે સામ્રાજ્ય હોવા છતાં કોઈ નેતાઓ અહી ફરક્યા નથી જે બાબત ખુબ દુખદ છે, આ તમામ વચ્ચે આ વિસ્તારમાં જો યોગ્ય રીતે સફાઈ કરવામાં નહિ આવે તો રોગચાળો ફાટી નીકળવાની દહેશત હોય તાકીદે આ વિસ્તારમાં સાફસફાઈ કરી દવાનો છટકાવ કરી અને જે વિસ્તારોમાં ચુકવવાની થતી નુકશાની અંગે ચુકવવા પણ ઇકબાલ ખફી(ભૂરા ભાઈ) દ્વારા રજૂઆત કરાઈ છે.