Mysamachar.in-જામનગર
સસ્તા અનાજના અમુક દુકાનદારોના કૌભાંડ સાંખી લઇ ભ્રષ્ટાચાર આચરવામા માહીર પુરવઠા કચેરીના સ્ટાફ દ્વારા નાગરીકોને સંતોષ થાય તેવા પગલા તો લેવાના ત્યા રહ્યા ઉપરથી ફરિયાદ કરનારની વિગતો આપી દે અને કહે તુ એની સાથે ફોડી લે જે ને…..!! આ કેવુ કહેવાય….?? આ તો છેલ્લી પાયરીની હીનતા ન કહેવાય??
my samachar લોકોના રીવ્યુ અહી પ્રસિદ્ધ કરી રહ્યું છે તેમાં એક રીવ્યુ તો એવો આવ્યો છે અતિ ચોકાવનાર છે, અમુક દુભાયેલા અરજદારોને અનુભવ છે કે સસ્તા અનાજની દુકાનને લગત માલની સમયની વજનની વર્તનની અનિયમિતતાની વગેરે અનેક ફરિયાદ હોય તો પુરવઠા કચેરી કે પુરવઠા લગત સ્ટાફ જિલ્લા કે શહેર કે તાલુકા કક્ષાનો કોઇ પણ હોય ત્યા ફરિયાદ કરવા જાય તો ત્યા ક્યાયથી કઇ જવાબ સરખો મળતો નથી અને ફેકાફેકી જ થાય છે તેમજ પુરવઠાવાળા એમપણ કહે છે કે મામલતદાર કચેરીમા તમારી ફરિયાદ મોકલી છે ત્યાથી પણ સંતોષકારક જવાબ મળતા નથી અને રેશનકાર્ડ ધારકોની હેરાનગતિ કોઇ સાંભળતુ ન હોય ઉકેલતુ ન હોય લાચાર લોકો અથડાય છે કુટાય છે પરંતુ તેમને લગત તંત્રવાળા કોઇ મદદ કરતા નથી.
આ વિષયમા વધુમા સનસનીખેજ રીતે એ પણ જાણવા મળ્યુ કે અમુક અરજદારોને પુરવઠા કચેરીવાળાઓએ એવુ કહ્યુ કે તમારી અરજી મામલતદાર કચેરીમા મોકલી છે માટે જુદા-જુદા અરજદારો જુદા-જુદા સમયે ત્યા પણ ગયા હતા પરંતુ ત્યાથી કઇ ઉકેલ ન થયો પરંતુ લગત ત્યા તો એટલીવારમાં લગત વોર્ડવારાઓના આ અરજદારોને ફોન આવ્યા કે શુ તકલીફ છે? આવો ને સમજી લઇએ (હવે સમજી લઇએ એટલે શું??) જે ફરિયાદ અરજદારને કચેરી વચ્ચે છે તેની વોર્ડ દુકાનદારને કેમ જાણ થઇ ગઇ?? અને પગલા તો ન લેવાયા ઉપરથી કાર્ડ ધારકને સમજાવી દેવાની પૈરવી થાય છે માટે અમુક હેરાન થતા લોકો કાર્ડ ધારકો નાગરીકો ગરીબો આક્રોશ અને દુખ સાથે કહે છે કે અમુક ઓફીસમાં બેઠા છે અમુક સસ્તા અનાજના દુકાનદારોના અમુક દલાલો….!!??
-જે અરજદારનો રીવ્યુ છે તે અક્ષરશ:આ પ્રમાણે છે.
ઓનલાઈન ફરિયાદ કર્યા પછી કહેવામાં આવ્યું કે મામલતદાર ઓફીસ માં મોકલી આપી છે. પછી બીજા દિવસે રાશન વાળાનો ફોન આવ્યો કે તમે મામલતદારમાં ફરિયાદ નોંધાવી છે શું પ્રોબ્લેમ છે તમે દુકાન પર આવો બધું પતાવી દયે લો મામલતદારમાં થી પણ આપની ફરિયાદની નું નામને નંબર આપી દેવાય છે.
-પુરવઠા ઇન્સ્પેકટરોની ટીમ તપાસો કરે છે કે કેમ તે સવાલ..?
ખરેખર તો લોકોના હિતમાં પુરવઠા અધિકારીની કચેરીના પુરવઠા ઇન્સ્પેકટરો સહિતની ટીમે સમયાંતરે ઇન્સ્પેકશન કરવાનું હોય છે, પણ બાહોશ ઇન્સ્પેકટરોની ટીમ ઓફિસમાં બેઠા બેઠા જ બધું થઇ જતું હોય તો બહાર જવાની શું જરૂર તે નીતિ અખત્યાર કરે છે તેમ પણ આધારભૂત સુત્રો કહે છે.