Mysamachar.in-જામનગર
જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની એટલે કે કોર્પોરેશનની ચુંટણી જાહેર થઇ છે, જેમાં કોર્પોરેટર થવા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને 21 મીએ મતદાન છે, લોકશાહીમા લોકોને ગમતા લોકોના કામ કરતા ઉમેદવાર જ ચુંટાય છે માટે જ શહેરના વોર્ડ નંબર 3 ના ભાજપના જે ઉમેદવારો છે તેમની આ ચાર ઉમેદવારની પેનલ જોતા તારણ નીકળે છે કે પ્રજાના પ્રતિનિધી કેવા હોય લોકોની વચ્ચે રહેનારા તેમજ લોકપ્રિય હોય તેવા આ વોર્ડનંબર 3 મા ભાજપના ઉમેદવારોની પેનલ છે સૌ જાણે છે તેમ આ પેનલના સુભાષભાઈ જોશી સહિતના ચાર ઉમેદવારો નગરના તેમના વિસ્તારને ઉતમથી સર્વોતમ બનાવવાનો સંકલ્પ લીધો છે,
માટે જ ભાજપે આ પેનલ જાહેર કરતાની સાથે જ સમગ્ર વોર્ડ નંબર 3 ના મતદારોએ ભાજપના આ ઉમેદવારોને વધાવી લીધા છે, સૌનો સાથ સૌના સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના મંત્ર સાથે જામનગર મહાનગરપાલિકાની આગામી તા.21-02-2021, રવિવારના રોજ યોજાનારી ચુંટણી માટે વોર્ડ નંબર 3 ના ભાજપના નિષ્ઠાવાન, પ્રમાણિક અને કાર્યશીલ ઉમેદવારો છે તેઓના આમ તો કોઈ વિશેષ પરિચયની જરૂર નથી કારણ કે તેઓ સતત લોકસંપર્કમાં માહિર છે અને લોકો માટે108 ની જેમ દોડતા રહે છે.
ગત ટર્મના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી, અલ્કાબા જાડેજા અને ગત ટર્મમાં કોર્પોરેટર નહિ પરંતુ માત્ર પક્ષના કાર્યકર હોવા છતાં પણ વિસ્તારના લોકોની પડખે અડીખમ ઉભા રહી અને જાગૃત એવા પન્નાબેન રાજેન્દ્રભાઈ કટારીયા(મારફતિયા) અને પટેલ પરાગભાઈ જે ચાર ભાજપના આ ત્રણ નંબરના વોર્ડના ઉમેદવાર છે જેમનાથી આ વિસ્તારના લોકો સુપેરે પરિચિત છે.
–ઉમેદવાર સુભાષભાઈ જોશી -પુર્વ સ્ટેન્ડીંગ ચેરમેન
વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર અને ગત ટર્મમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રહી અને પોતાના વિસ્તાર ઉપરાંત શહેરના સર્વાંગી વિકાસ માટે દોડતા અને જેને વોર્ડ નંબર 3 ની જનતા એ 108 નું બિરુદ આપ્યું છે, તે સુભાષભાઈ જોશીએ વોર્ડ નં. 3 ના વોર્ડ પ્રમુખ, મહામંત્રી તેમજ શહેર ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ તેમજ વોર્ડ ચુંટણી ઇન્ચાર્જની મહત્વની કહી શકાય તેવી જવાબદારીઓ નિભાવી છે. તેવો ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ હાઉસિંગ ફાયનાન્સના બે ટર્મથી જામનગર જીલ્લાના ડીરેક્ટર છે, તેઓ 2015 માં પ્રથમ વખત કોર્પોરેટર તરીકે જીતી, 2018-2020 સુધી જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી અને પોતાનો વિસ્તાર તો ખરા જ ઉપરાંત જામનગર શહેરમાં લોકોને કાયમી યાદ રહે તેવા અનેકવિધ વિકાસ કામો કરેલ છે. જેને લોકો ક્યારેય ભૂલી નહિ શકે તો વોર્ડમાં કોપોરેટરોને મળેલ ગ્રાન્ટમાંથી વિવિધલક્ષી કામ કરી વોર્ડની કાયપલટ કરવામાં વોર્ડના નાગરિકો, આગેવાનો, હાલના ઉમેદવારો, પૂર્વ કોર્પોરેટરો, સંગઠન પાંખ સાથે રહી સતત પ્રયત્નશીલ રહ્યા છે. કોર્પોરેટરના કામો ઉપરાંત વિવિધ જ્ઞાતિ મંડળોના કામોમાં અંગત રસ લઇ કામોને ન્યાય અપાવવામાં સુભાષભાઈ જોશીએ અગ્રીમ ભૂમિકા ભજવી હોવાનું જાણવા મળે છે.
-ઉમેદવાર પરાગભાઇ પટેલ-ઉત્સાહથી ભરપુર યુવા આગેવાન
આવા જ વોર્ડ નંબર 3 ની પેનલના અને લોકોમાં વર્ષોથી જાણીતા અને વેપારી એવા પટેલ પરાગભાઇ પોપટભાઇ શિક્ષિત હોવા સાથે લોકો સાથે ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા હોવાને કારણે સીધો જ સંપર્ક ધરાવે છે, વોર્ડ નંબર 3 ના જયંત સોસાયટી વિસ્તારમાં વસવાટ કરતા પરાગભાઈ પટેલ જેઓ ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી સક્રિય સભ્ય છે. તેઓ ભારત સેવા સમાજના ટ્રસ્ટી તરીકે, જામનગર શહેર ઇલેકટ્રીક એન્ડ કોન્ટ્રાકટર ડીલર એસોશીએશનમાં ઉપપ્રમુખ, પંચાણભાઇ શામજીભાઇ કડવા પટેલ સેવા સમાજ જામનગરના કારોબારી સભ્ય, શહેરના બાસ્કેટ બોલ એસોશીએશન સેક્રેટરી તરીકે સેવાઓ આપે છે. ઉપરાંત વોર્ડ નં. 3 માં પણ સેવાકીય પ્રવૃતિઓમાં સતત જોડાયેલા છે. સામાજીક-સ્પોટસ પ્રવૃતિમાં સક્રિય રહી કામગીરી કરે છે. દરેક સમાજ સાથે ઘનિષ્ઠ સબંધો ધરાવતા યુવાન ઉમેદવાર છે.
-ઉમેદવાર અલ્કાબા જાડેજા-પુર્વ કોર્પોરેટર
તો વોર્ડ નંબર 3 માં સુભાષભાઈ જોશીની સાથેની ગત ટર્મમાં રહેલા જાડેજા અલ્કાબા વિક્રમસિંહને પણ આ વખતે તેવોની વિસ્તાર પ્રત્યેની સજાગતાને જોતા પક્ષે વધુ એક વખત મેન્ડેટ આપ્યો છે, અને વિસ્તારના લોકોએ તેને વધાવી લીધા છે, પટેલકોલોનીમાં જ વસવાટ કરતા અલ્કાબાની સાથે તેમના પતિ વિક્રમસિંહ જાડેજા વર્ષોથી ભાજપા સાથે જોડાયેલ છે. અને તેઓ વોર્ડ નં. 3 ના પ્રમુખ રહી ચુકયા છે. વર્ષ 2015 માં અલ્કાબા વિક્રમસિંહ જાડેજા કોર્પોરેટરની ચુંટણી જીતી વોર્ડમાં ના માત્ર ખાલી કામો પણ લોકોને જરૂરિયાતના કામો પર સતત લોકો સાથે જ સંકલન અને બાદમાં અન્ય કોર્પોરેટરોની પેનલ સાથે સંકલન જાળવી ખુબ જ સુંદર કામગીરી બજાવેલ છે. વધુમાં અલ્કાબા જાડેજા પટેલ કોલોની મહિલા મંડળના પ્રમુખ, બી.એ.પી.એસ. મહિલા મંડળ સંચાલક, રાજપુત મહિલા સંગઠનના સભ્ય તરીકે જવાબદારી નિભાવે છે. અને તેવોની સજાગતાની ભાજપે વધુ એક વખત નોંધ લઈને તેમને ચુંટણી મેદાને ઉતાર્યા છે.
–ઉમેદવાર પન્નાબેન કટારીયા(મારફતિયા)-દરેક સમાજને સાથે લઇ ચાલનારા આગેવાન
આ વખતે વોર્ડ નંબર 3 માં ભાજપે બે નવા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે, આ ઉમેદવારો નવા છે, પણ વિસ્તારમાં આગવી લોકચાહના ધરાવે છે, અને વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા હોય દરેક વિસ્તારના લોકો આ બન્ને ઉમેદવારોથી સુપેરે પરિચિત છે, જેમાં શહેરના જાણીતા મારફતિયા પરીવારના કટારિયા પન્નાબેન રાજેન્દ્રભાઇ જેવોના પતિ રાજેન્દ્રભાઈ મારફતીયા લોહાણા સમાજના અગ્રણી હોવા સાથે દરેક સમાજ સાથે ઘરોબો ધરાવે છે, પટેલ કોલોની સી.સી. ડી.સી. ફલેટ પાછળ વસવાટ કરતા પન્નાબેન અને તેમના પતિ સહિતનો પરિવાર ભાજપ સાથે જોડાયેલા છે, અને તેના કારણે અત્યારસુધી તેવો ભલે કોર્પોરેટર ના હોય પરંતુ વિસ્તારમાં આયોજીત થતા પક્ષના કાર્યક્રમો અને લોકો સાથે સતત સંપર્કો જાળવી રાખ્યા છે, પન્નાબેનના પતિ રાજુભાઈ જામનગર લોહાણા મહાજનના કારોબારી સભ્ય જલારામ જયંતી મહોત્સવ સમિતિના સક્રિય સભ્ય છે. પન્નાબેન લોહાણા મહિલા મંડળના સક્રિય સભ્ય. વોર્ડ નં. 3 માં થતી વિવિધ સેવાકીય સામાજીક સંસ્થાઓની કામગીરીમાં સતત અગ્રેસર હોય છે,