Mysamachar.in-જામનગર
જામનગર શહેરના મ્યુ.કમિશ્નર વિજયકુમાર ખરાડીએ જામનગરમાં ચાર્જ સંભાળ્યા બાદ તેવો શહેરમાં ચાલી રહેલ કામો અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટોની જાતમુલાકાત લઇ અને નિરીક્ષણ કરી રહ્યા છે, અને જ્યાં જરૂરી લાગે તે સૂચનો પણ લગત વિભાગના અધિકારીઓને શહેરીજનોના હિતમાં આપી રહ્યા છે, એવામાં આજે પણ તેવાઓએ શહેરમાં સ્વચ્છતાને લઈને ચાલી રહેલા બે પ્રોજેક્ટની લગત વિભાગના અધિકારીઓને સાથે રાખીને સ્થળ વિઝીટ કરી હતી.
સ્વચ્છ ભારત મિશન હેઠળ જામનગર મહાનગરપાલિકા દ્વારા વ્હોરાના હજીરા ખાતે સ્થાપિત કરવામાં આવેલ મટીરીયલ રીકવરી ફેસીલીટી સેન્ટરની મુલાકાત પણ કમિશ્નર વિજયકુમાર ખરાડી દ્વારા લેવામાં આવી આ પ્રોજેક્ટ પીપીપીના ધોરણે ચાલી રહ્યો છે, જેનું હાલ કામ ચાલી રહ્યું છે અને લગભગ બે માસમાં તે કાર્યરત થઇ જશે, આ પ્રોજેક્ટમાં શહેરના કોમર્શીયલ વિસ્તારોમાંથી નીકળતા કચરાને મનપાના વાહન મારફત અહી પહોચાડવામાં આવશે અને તે અંદાજે દરરોજનો 30 ટન કચરાનું રીસાયકલીંગ કરવામાં આવશે, આ પ્રોજેક્ટ ખાનગી પાર્ટી હેન્ડલ કરશે અને મનપાની માત્ર જગ્યાનો ઉપયોગ કરશે અને તેની સામે મનપાને 1 ટન કચરા દીઠ 128 રૂપિયા આ પાર્ટી આપશે આજ રોજ આ પ્લાન્ટની કમિશનર દ્વારા મુલાકાત લેવામાં આવેલ. જેમાં આ પ્રોજેકટે ઝડપથી પૂર્ણ કરી, સરકાર દ્વારા જાહેર કરેલ પ્લાસ્ટિક મેનેજમેન્ટ રૂલ્સની શહેરમાં અસ૨ કારેક અમલવારી થાય તે મુજબના પગલાઓ લેવા સુચના આપવામાં આવેલ.
જે બાદ કમિશનરે ગુલાબનગર ડમ્પીંગ સાઈટ ઉપરના લીગેસી વેસ્ટના પ્રોસેસીંગ પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી હતી, આ પ્લાન્ટમાં બચેલા કચરાને પ્રોસેસ કરી અને તેમાંથી ઓર્ગેનિક ખાતર કાઢવામાં આવશે, દરમ્યાન કમિશનર ધ્વારા આ કામગીરીમાં ઝડપ લાવવા તેમજ ઉત્પન્ન થતા ઓર્ગેનિક ખાતરનો મહાનગરપાલિકાના બગીચાઓમાં ઉપયોગ કરવા અને જામનગર જિલ્લાના ખેડૂતો પણ તેનો ઉપયોગ કરી શકે તે માટે આયોજન કરવા લગત અધિકારીઓને સુચના મ્યુ.કમિશ્નર દ્વારા આપવામાં આવી હતી.