Mysamachar.in-ગાંધીનગર:
જેમાં ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં 5 વર્ષમાં 5 મોત થયા હોવાનો ખુલાસો કર્યો છે. ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં સમયસર સારવાર, સ્ટાફ ઘટના કારણે 5 લોકોના મોત થયા હોવાની વાત સરકારે સ્વીકારી છે. વર્ષ 2014-15માં 1 મોત, 2017-18માં 4 મોત થયા છે. જવાબદારો સામે બદલી, ઠપકો, ઈજાફો અટકાવવાના પગલા લેવાયા હોવાનું સરકારે જણાવ્યું છે, જ્યારે માત્ર 1 કેસમાં સ્ટાફ બ્રધરને સસ્પેન્ડ કરાયો છે. રાજ્યમાં સરકારી હોસ્પિટલમાં બેદરકારીથી લોકોના મોત થઈ રહ્યા હોવાની વાત સરકારે જણાવી હતી.
વધુમાં શિક્ષણને લગત પ્રશ્નોના જવાબમાં ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં ખાલી પડેલી જગ્યાઓ મામલે પણ સરકારે ગૃહમાં જવાબ રજૂ કર્યો છે. ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં આચાર્ય, શિક્ષકોની 1869 જગ્યાઓ ખાલી હોવાની વાત જણાવી છે, જેમાં માધ્યમિકમાં 1225, ઉ.મા.માં 533 શિક્ષકોની અછત હોવાનું જણાવ્યું છે. અંગ્રેજી, ગણિત, વિજ્ઞાનના વિષયોની જગ્યા ખાલી હોવાની વાત સરકારે સ્વીકારી છે. આ સિવાય અંગ્રેજીમાં 601, ગણિત – વિજ્ઞાનમાં 1049 જગ્યા ખાલી છે. અતારાંકિત પ્રશ્નોત્તરીમાં સરકારે વિવિધ સવાલો પર જવાબ રજૂ કર્યો છે.
જયારે અન્ય એક જવાબમાં રાજ્યમાં સરકારી વહીવટી અધિકારીઓની ખાલી જગ્યાઓને લઇને વર્ગ-1ના જુનિયર અધિકારીની 196 જગ્યા ખાલી તેમજ વર્ગ-1ના સિનિયર અધિકારીઓની 46 જગ્યા ખાલી છે. સિનિયર અધિકારીઓ માટે 190નો મહેકમ મંજૂર થયેલો છે. વર્ગ-1માં ખાલી જગ્યાઓમાંથી 49ની સીધી ભરતી થશે. વર્ગ-1ના સિલેકશન સ્કેલમાં 69નો મહેકમ જેની સામે 43 જગ્યા ખાલી છે. રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો.