Mysamachar.in-જામનગર:
દેશ રાજય સહીત છેલ્લા કેટલાય દિવસોથી વીજળીની શોર્ટેઝ હોવાની વાતો અને અહેવાલો સામે આવી રહ્યા છે, ત્યારે આ વાત વાસ્તવિક હોવાનું આજે જામનગર જીલ્લામાં પુરવાર થયું છે.,”my samachar” સાથેની ટેલીફોનીક વાતચીતમાં જામનગર PGVCLના અધિક્ષક ઈજનેર સી.કે.પટેલે જણાવ્યું કે સામાન્ય રીતે નિયમ ખેતી માટે વીજળી આપવાનો 8 કલાકનો છે, પણ જે રીતે રાજ્યમાં વીજળીની શોર્ટેઝ છે, તે મુજબ ઉપરથી ગમે ત્યારે વીજકાપ આવે છે એટલે છેલ્લા દસેક દિવસથી વીજળી જે 8 કલાક આપવી જોઈએ તે આપી શકાતી નથી તે વાત વાસ્તવિકતા છે, વધુમાં તેવોએ કહ્યું કે અને અણધાર્યો કાપ આવે છે તેને કારણે કટકે કટકે પણ 8 કલાક વીજળી છેલ્લા કેટલાક દિવસોથી ખેતી માટે આપી શકાતી નથી, અને કટકે કટકે પાવર સપ્લાય મળે છે.અને એકીસાથે 8 કલાક વીજળી ખેતી માટે આપી શકાતી નથી તે વાત પણ સાચી હોવાનું તેમને જણાવ્યું હતું, અને શેડ્યુલ મુજબ 8 કલાક વીજળી નથી આપવામાં આવતી તેનો સ્વીકાર પણ તેમણે કર્યો હતો.આમ વીજળીની શોર્ટેઝ જામનગર જીલ્લા સુધી પહોચી ગઈ હોવાના સંકેત સ્પષ્ટ મળી રહ્યા છે.