Mysamachar.in-જામનગર
જામનગર શહેરના રણજીતરોડ ચૌહાણ ફળી શેરી નંબર 1માં ગઈકાલે એક રસ્તે રઝળતા પશુએ મહિલાને એવા તો અડફેટ લીધા કે તે આસપાસના સ્થાનિકોની મદદથી માંડ બચ્યા…અને આ ઘટનાના CCTV વાઈરલ થતા લોકોમાં મનપા પ્રત્યે ભારોભાર રોષ છે, આ સમસ્યા શહેરના દરેક વિસ્તારની છે. છતાં મનપા મક્કમતાથી તે દિશા તરફ કા તો કાઈ કરતું નથી અથવા કરવા માંગતું નથી….ખરેખર રસ્તે પશુઓને રઝળતા મુકનાર સામે ભૂતકાળમાં ફોજદારી ફરિયાદો નોંધાઈ છે તે કાર્યવાહી સખ્ત કરવામાં કોનું દબાણ છે..?
હા એ યાદ અપાવીએ કે મનપાની ચુંટણી પૂર્વે ભાજપે ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો ત્યારે તેમાં લખ્યું હતું કે (માત્ર લખવા ખાતર જ કારણ કે જો કાઈ કર્યું હોય તો જાહેર કર્યા સિવાય રહે તેવા નથી ભલે મોડું તો મોડું પણ જાહેર કરે ખરા) શહેરમાં ઢોર ઢાંખરની સમસ્યા માટે કઈક કરીશું તે અંગે જે તે સમયે પત્રકાર પરિષદમાં પણ my samachar દ્વારા શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાને આ મામલે શું કરશો તેમ પૂછવામાં આવ્યું ત્યારે તેણે જે જવાબ આપ્યો તે ઉપર વિડીયોમાં સાંભળવા મળશે પણ તે દિશામાં કઈ થયું હોય તેવું જણાઈ આવતું નથી, માટે જ લોકો પૂછે કે ક્યાં હુઆ તેરા વાદા…