Mysamachar.in-ગુજરાત:
તાજેતરમાં જ ખાતર ઉત્પાદક કંપનીઓ DAP/MOP/NPK વગેરે ખાતરમાં ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો હતો, જે બાદ ભારત સરકાર દ્વારા ખાતર કંપનીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, અને તે મીટીંગમાં નિર્ણય થયા મુજબ વર્તમાન સમયમાં કોઈ ભાવવધારો કરવામાં આવશે નહિ અને જે જુના ભાવે ખાતર મળતું હતું તે જ ભાવે ખેડૂતોને ખાતર ઉપલબ્ધ થશે,. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, “ખાતરના ભાવ વધારામાં અને તેની ઉપલબ્ધતા અંગે દેશમાં ઉભી થયેલી સ્થિતિને લઈને ભારત સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાની મીટીંગ બોલાવાઈ હતી. ખેડૂતોના હિતોને પ્રાધાન્ય આપી કેન્દ્ર સરકારે ખાતર ઉત્પાદક કંપનીઓને ખાતરનાં ભાવમાં કોઈ વધારો નહિ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેની સાથે ખાતર ઉત્પાદક કંપનીઓ સહમત થઇ છે, તથા નોંધનીય છે કે હવેથી ખેડૂતોને જૂના ભાવથી જ DAP/MOP/NPK ખાતર ઉપલબ્ધ રહેશે”