Mysamachar.in-:જામનગર
લોકડાઉન શું છે.? આપણે છેલ્લા કેટલાક દિવસોમાં આ શબ્દ વારંવાર સાંભળ્યો છે. લોકડાઉન પછી શું થાય છે અને તેમાં સરકાર શું કરે છે? સામાન્ય લોકો માટે શું નિયંત્રણો છે? ચાલો જાણીએ આ પ્રશ્નોના જવાબો શું છે, લોકડાઉન એક ઇમર્જન્સી સિસ્ટમ છે જે સામાન્ય રીતે એક વિસ્તારમાં લોકોને અટકાવી રાખવા માટે વપરાય છે, સામાન્ય રીતે, આ પ્રોટોકોલ સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે લોકડાઉનની ઘોષણા સામાન્ય રીતે મોટી દુર્ઘટનાઓથી લોકોને બચાવવાની માટે કરવામાં આવે છે. સંપૂર્ણ લોકડાઉનનો અર્થ એ છે કે જ્યાં સુધી કોઈ ખૂબ જરૂરી કારણ ન હોય અથવા જ્યાં કોઈ તબીબી ઇમરજન્સી ન હોય ત્યાં સુધી લોકો તેમના ઘરની બહાર બિલકુલ નીકળી શકાતુ નથી,
લોકડાઉનમાં સરકારનો ઉદ્દેશ એ છે કે લોકોએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને જો સરકાર દ્વારા સૂચવવામાં આવેલી સિસ્ટમનો અમલ કરવામાં આવે. ચેપ અટકાવવા માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સૂચવવાના આવતા પગલાંઓનો અમલ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોઈ ગંભીર દર્દી અથવા ગર્ભવતી સ્ત્રીને હોસ્પિટલમાં લઈ જવા હોય, તો પછી આવા ઈમરજન્સી કાર્યો માટે તમને ઘરની બહાર જવાની પરવાનગી છે. દૂધ, શાકભાજી, કરિયાણા અને દવાની દુકાનો લોકડાઉનની બહાર છે. પરંતુ આ દુકાનોમાં બિનજરૂરી રીતે ભીડ કરવી તે ટાળવું હાલના સંજોગો પ્રમાણે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે,
રાજ્ય સરકારે પેટ્રોલપંપ અને ATMને આવશ્યક સેવાઓની કેટેગરીમાં મૂક્યા છે. સરકાર જરૂરિયાત મુજબ પેટ્રોલપંપ અને એટીએમ ખોલી શકે છે. સ્થાનિક વહીવટીતંત્રની એ જવાબદારી છે કે પેટ્રોલપંપ અને એટીએમના સ્થળે વધારે ભીડ ન થાય. જો સ્થાનિક વહીવટ ઈચ્છે તો તે પેટ્રોલ પમ્પ ચાલુ અથવા બંધ પણ કરી શકે છે. કોઈપણ જિલ્લાના લોકડાઉન પછી ખાનગી વાહનોનો ઉપયોગ કરી શકાય છે. શરત એ છે કે ખાનગી વાહનોનો ઉપયોગથી લોકોને કોઈ સમસ્યા ન થતી હોય, ખાસ કરીને કોરોના વાયરસના કિસ્સામાં, જો રસ્તા પર વાહનોની સંખ્યામાં વધારો થાય તો ભીડને ટાળવાનો હેતુ ન સરે
જો કોઈ ગંભીર માંદગીમાં હોય કે મુશ્કેલીમાં હોય તો તેઓ તેમની કાર લઈને બહાર જઈ શકે છે પરંતુ લોકડાઉન કરવાના સરકારના હેતુની વિશેષ કાળજી લેવાય એ જરૂરી છે,
આવા સમયમાં શું ના કરવું જોઇએ તો,….ઉદાહરણ તરીકે, ઈમરજન્સી ન હોય ત્યાં સુધી ઘર છોડશો નહીં. લોકડાઉનની જાહેરાત પછી, જો ઘરની બહાર કોઈ કારણ વિના એમ-નેમ નીકળ્યા તો વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી પણ થઇ શકે છે. લોકો તેમના ઘરે રહેવા દરમિયાન સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરે છે. આ પરિસ્થિતિમાં ખોટા સમાચાર ફેલાવશો નહીં આમ વિશ્વમાં હાલમાં જેના કારણે લોકડાઉન થયું છે તે કોરોના વૈશ્વિક મહામારીને ફેલાતી અટકાવી શકાય.