Mysamachar.in-જામનગર:
જામનગરના તળાવની પાળ નજીક રીચવેલ્થ સિક્યુરીટીzજ નામની પેઢી આવેલ છે, આ પેઢીની મુલાકાતે તાજેતરમાં જ સમગ્ર ગુજરાતમાં ખાસ તો તેમના સેવા કાર્યોને લઈને ચર્ચાઓમાં રહેલા અને બહુમુખી પ્રતિભા ધરાવી અને સામાજિક કાર્યો થકી સુવાસ ફેલાવતા ખજુરભાઇ (નીતીનભાઇ જાની) જામનગરના લાખોટા તળાવના પાસે આવેલી રીચવેલ્થ સિક્યુરીટી પ્રા.લિ.નામની પેઢીની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા, છેલ્લા 11 વર્ષથી જામનગરની જનતાને સૌથી સુરક્ષિત રોકાણ અને ઉચ્ચ રીર્ટનની ભરોસો આપતી રીચવેલ્થ સિક્યુરીટી પ્રા.લિ.પેઢીના જીતેનભાઇ મોઢવાડીયા અને પીયૂષભાઈ મોઢવાડિયાના આમંત્રણને માન આપીને બારડોલી નિવાસી ખજુરભાઇ ગુજરાતી અભિનેતા, નિર્દેશક, લેખક, યુટ્યુબર, કોમેડીયન, ટીકટોક સ્ટાર અને વિશેષમાં તેમના વિશેષમાં લખીએ તો સેવાકીય કાર્યો કરીને સમગ્ર ગુજરાતમાં સુવાસ ફેલાવી છે.
આવી પ્રતિભાવંત વ્યક્તિ જામનગરની રીચવેલ્થ સીક્યુરીટી પ્રા. લિ.ની પેઢીને શુભેચ્છા મુલાકાતે પહોચ્યા ત્યરે જામનગર અને રીચવેલ્થ સીક્યુરીટીઝ માટે ગૌરવની ક્ષણો હતી. આ સમયે રીચવેલ્થના સીઇઓ જીતેનભાઇ મોઢવાડીયા, ડાયરેકટર પિયુષભાઇ મોઢવાડીયા, સીએમઓ યોગેશભાઇ ભદ્રા, મેનેજર દિવ્યેશભાઇ કેશરીયા સહિતના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા તો ખજુરભાઈ જામનગર આવ્યાની જાણ તેમના ચાહકોને થતા તેવો પણ ઓટોગ્રાફ તેમજ સેલફી લેવા માટે રીચવેલ્થ ખાતે લાઈનો લગાવી દીધી હતી.