Mysamachar.in-જામનગર:
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે ત્યારે એરફોર્સ જામનગર ખાતે આવી પહોંચતા તેઓનું સ્વાગત અને ઉષ્માપૂર્ણ અભિવાદન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, દ્વારા કરવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, આજરોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આઈ. એન. એસ વાલસુરાને પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડથી સન્માનિત કરશે આ પ્રસંગે કલેકટર ડો. સૌરભ પારઘી, અને ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેએ પણ ઉપસ્થિત રહી રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું