Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, જામનગરમાં ખુબ મોટો બ્રાસઉદ્યોગ આવેલ છે, જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન, જી.આઈ.ડી.સી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન, જામનગર બ્રાસ ફાઉન્ડરી એસોસિએશન તથા સંલગ્ન સંસ્થાઓ દ્વારા માત્ર 2 દિવસ શનિવાર અને રવિવારનું સ્વૈચ્છિક લોકડાઉન કરવા એસોસીએશન દ્વારા અપીલ કરવામાં આવી છે. મહત્વનું છે કે શુક્રવારે તો ઉદ્યોગ બંધ જ હોય છે એટલે આમ કુલ ત્રણ દિવસ ઉદ્યોગકારો સ્વૈછિક બંધનો નિર્ણય લીધો છે.હવે નિર્ણય ને કેટલી સફળતા મળે છે તે જોવાનું છે.