Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલીકા ICDS શાખામાં ફરી એકવાર ભરતીમાં ગોબાચારીનું ભૂત ધુણ્યું છે. ઘણા સમયથી ભરતી સંદર્ભે વિવાદમાં રહેલી ICDSશાખામાં ફરી એકવાર ભષ્ટાચાર કરી ગેરકાયદેસર ભરતી કરી અને નાણાકીય કોભાંડ આચરવામાં આવ્યાનો આક્ષેપ વિપક્ષ નહિ પણ ખુદ શાશક પક્ષના કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલાએ કરી અને કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મેયર સહિતના પદાધિકારીઓને આ મામલે લેખિત રજૂઆત કરતા આ મામલાએ જામનગર મનપામાં ખળભળાટ મચાવી દીધો છે, અને આ ભરતી કૌભાંડમાં ઉચ્ચ અધિકારીઓ પણ સંડોવાયેલા હોય તેવી આશંકા વ્યક્ત કરાઈ છે,
જામનગર મહાનગરપાલીકાની ICDS શાખા દ્વારા કલાર્ક, હિસાબનીશ, સ્ટેટીસ્ટીક આસીસ્ટન્ટની ભરતી કરવામાં આવેલ જે ભરતી કોઈપણ ઈન્ટરવ્યુ કે કોઈને જાણ કર્યા વગર અધિકારીઓની મીલીભગતથી કરવામાં આવી છે. કોઈપણ જાતની મંજુરી વગર કે ઠરાવ વગર વગદાર વ્યકિતઓને લેવા માટે જામનગર મહાનગરપાલીકાના અધિકારીઓએ ભરતીના નિયમોનો છડેચોક ભંગ કરી ભરતીના નીયમોને નેવે મુકી ગેરકાયદેસર રીતે આ જગ્યા ભરવામાં આવેલ છે.
કલાર્ક, હિસાબનીશ, સ્ટેસ્ટીક આસીસ્ટન્ટની જગ્યા ભરવામાં આવી છે આ જગ્યા માટે જે અનુભવ અને શૈક્ષણીક લાયકાત હોવી જોઈએ અને જે પોસ્ટ પ્રમાણે શૈક્ષણીક લાયકાત આપવામાં આવેલ છે તેની જગ્યાએ વગદાર લોકોને લેવા માટે આ પોસ્ટ પ્રમાણેની કોઈ લાયકાત કે અનુભવ ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ભરતી કરવામાં આવેલ છે તેની તપાસ થવી ખુબજ જરૂરી છે. એવું પણ જાણવા મળેલ છે કે, આ ભરતી માટે ના ઈન્ટરવ્યુ પણ લેવામાં આવેલ નથી. લાગવગ, ભલામણ અને નાણાના જોરે ઉચ્ચ અધિકારીઓએ સેટીંગ કરી ભરતીનું કૌભાંડ કરેલ છે.
ખરેખર નિયમ એવો છે કે, એપ્રીન્ટીશીપની ભરતીમાં રોજગાર શાખા ધ્વારા જે નામ મોકલવામાં આવે તે એપ્રીન્ટીશીપ 11 માસ સુધી જામનગર મહાનગર પાલીકામાં કર્મચારી તરીકે કામ કરે છે. અને 11 માસ બાદ આ એપ્રીન્ટીશને છુટા કરવામાં આવે છે. અને જામનગર મહાનગર પાલીકા કોઈપણ એપ્રીન્ટીશને 11માસ બાદ તેને રીન્યુ કરતા નથી. કે તેને મહાનગર પાલીકાના કર્મચારી બનાવતા નથી. રોજમદાર કે ટેમ્પરરી પણ કરતા નથી. તો પછી આ એપ્રીન્ટીસ કર્મચારીને કયા આધાર ઉપર કલાર્ક, હીસાબનીશ, સ્ટેસ્ટીક આસીસ્ટન્ટની પોસ્ટ ઉપર મુકવામાં આવેલા એપ્રીન્ટીસ કર્મચારીને કયારે પણ આ પોસ્ટઉપર મુકવામાં આવતા નથી. વિશેષમાં લાયકાત ન હોવા છતાં પણ કયાં આધાર ઉપર અને કોના આર્શીવાદ થી આવી ગેરકાયદેસર નીમણુંક કરવામાં આવી તે તપાસનો વિષય બન્યાનું જયેન્દ્રસિંહ ઝાલાએ રજુઆતમાં ટાંક્યું છે,
જામનગર મહાનગર પાલીકાની ઓડીટ શાખા તરફથી પણ મેમો આપવામાં આવેલ અને તેમાં ખુલાસો પુછેલ છે કે, કયાં આધાર ઉપર આ ભરતી કરવામાં આવી, આવી ભરતી થઈ શકે નહી. પરંતુ આ ICDS શાખાના મુળીયા ઉપર સુધી હોય જેથી ઓડીટ શાખાને પણ કાંઈ ગણતુ નથી. કે જવાબ આપતું નથી. આની પાછળ કોણ છે ? તેમાં કયાં અધિકારીનું હીત સમાયેલું છે. ? તેમજ આ આખા પ્રકરણમાં કોણ છે તે સવાલો ઉઠ્યા છે, અને જો આ મામલે વિજીલન્સ સહિતની તપાસ કરવામાં આવે તો આ ભોપાળું છતું થાય તેવી લાયકાત ધરાવતા ઉમેદવારોના હિતમાં અને તેમને ન્યાય મળે તે મેટ ભાજપના ચુટાયેલા કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા દ્વારા રજૂઆત કરવામાં આવી છે.