Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની ચુંટણી આડે વધુ દિવસની વાર નથી ત્યારે શહેરના વોર્ડ નંબર 7 માં ભાજપના ઉમેદવારોની તરફ પ્રચંડ લોકજુવાળ જોવા મળે છે, અને ચુંટણી પ્રચાર દરમ્યાન લોકો વચન આપે છે કે મત તો ભાજપને જ તેનુ કારણ છે કે કોઈ એક વિસ્તાર નહી પરંતુ વોર્ડ નંબર 7 નો સર્વાંગી વિકાસ ભાજપ શાસીત મનપા દ્વારા થયો અને વિકાસનો શ્રેય ભાજપના હાલના ઉમેદવારો અને ભાજપના પૂર્વ કોર્પોરેટરોની ટીમને જાય છે તેમ પણ જાણવા મળ્યુ છે,
આ વિસ્તારમાં લોકો ભાજપ પર ભરોષો કરી અને તેના ઉમેદવારોને જીતાડતા આવ્યા છે અને આ ચુંટણીમાં કોઈ વાતો કે ખોટા વચનોમાં આવ્યા સિવાય આ વિસ્તારના લોકો માત્ર કમળને ખીલવી અને અન્ય તમામ પક્ષો અને ઉમેદવારોને જાકારો આપશે તે નિશ્ચિત થઇ ગયું હોય તેમ જાણવા મળે છે ટુંકમાં ભાજપની વિકાસયાત્રાનુ ભાથુ સાથે લઇ ચુંટણી જંગમા રહેલા અરવિંદભાઇ સભાયા, ગોપાલભાઇ સોરઠીયા, પ્રભાબેન ગોરેચા અને લાભુબેન બંધીયાની પેનલ તરફ પ્રચંડ જુવાળ પ્રચાર દરમ્યાન જોવા મળે છે,
ભાજપ સાશિત મનપામાં ના માત્ર આ વોર્ડમાં કોઈ એક વિસ્તારનો વિકાસ જ નહી પરંતુ સર્વાંગી વિકાસને મહત્વ આપવામાં આવ્યું છે. વોર્ડના તમામ આંતરિક રસ્તાઓ ફોર ટ્રેક કરી અને વાહનચાલકો અને રાહદારીઓને સુવિધા વધારવામાં આવી છે, તમામ DP કપાતનું કામ પૂર્ણ થયું છે. તો સાથે વિસ્તારમાં ભૂગર્ભ ગટર, LED લાઈટ કે પછી સફાઈ દરેક કામો સુચારુ ઢબે થયા છે આ બધુ જ વિકાસ કામનુ ભાથુ સાથે જનસેવાના ભેખધારી ભાજપની પેનલના આ ચારેય ઉમેદવારોને હાલના ભાજપના મહામંત્રી તેમજ પુર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન મેરામણભાઈ ભાટુનુ માર્ગદર્શન પણ ભાજપના કાર્યકર્તાઓને સતત મળે છે, તેમજ હાલની ચુંટણીમા વોર્ડ નંબર સાતમા પોતાનો અનુભવ તેમજ પોતે કરેલી જનસેવાનો પ્રતિસાદ લોકો તરફથી મેરામણભાઈ ભાટુ ને મળે છે તે ભાજપની પેનલને જીતાડવા ખુબ ઉપયોગી બની રહેશે,
મતદાતાઓને મહત્વ હંમેશા આપવાનુ જ હોય અને ચુંટણી વખતે પ્રચાર દરમ્યાન બીજા લોકોને કહેવુ પડે અમે આ કર્યુ અમે આમ કર્યુ…. વગેરે તેના બદલે આ વિસ્તારના લોકો સામેથી પ્રચારમા જતા ભાજપની પેનલના ઉમેદવારોને કહે છે કે તમે સાચા પ્રજાસેવક સાચા નગરસેવકની ફરજ બજાવી છે હજુય બજાવશો માટે મત તો ભાજપને જ આપીશુ આ રીતે ચુંટણી પહેલા જ વિજયનો સંકેત વોર્ડ નંબર સાતમા પ્રચાર દરમ્યાન ઉમેદવારોને મળી ગયો છે,
જામનગર શહેરનો વોર્ડ નંબર 7 એટલે વિકાસકામોથી ભરપુર વિસ્તાર…આ વિસ્તારમાં ભાજપના સક્રિય કોર્પોરેટરોની સક્રિયતાને કારણે વિકાસના કરોડોના કામો આ વિસ્તારમાં થયા છે અને હજુ પણ ચાલુ છે અને ચાલુ રહેશે, એવામાં જયારે મનપાની ચુંટણી આવી રહી છે ત્યારે આ વિસ્તારમાં ભાજપે એવા ઉમેદવારોની પસંદગી કરી છે જેને હૈયે લોકોનું હિત છે લોકોનું કામ કરવું છે, એક ઉમેદવાર ગોપાલ સોરઠીયા તો એવા છે કે જે હાલ પથારીવશ છે છતાં પણ પોતાની ઉમેદવારી નોંધાવી અને હવે પેનલ સહીત જીત મેળવીને આ વિસ્તારમાં ઘણું કરવા માંગે છે.
-પ્રચાર દરમ્યાન અભૂતપુર્વ અને પરિવારના સભ્યો જેવો લોકો તરફથી ઉમળકો…..જંગી વિજયની નિશાની
વોર્ડ નંબર 7ના વિસ્તારમાં અરવિંદભાઇ વલ્લભભાઇ સભાયા, ગોપાલભાઇ ગોરધનભાઇ સોરઠિયા, પ્રભાબેન કિશોરભાઇ ગોરેચા અને લાભુબેન કાનાભાઇ બંધીયાની ટીમ વોર્ડના ભાજપના આગેવાનો કાર્યકરો સાથે જયારે લોકસંપર્કોમાં નીકળે છે, ત્યારે એક અભૂતપૂર્વ પરિવારના સભ્યો જાણે આંગણે આવ્યા હોય તેવો આવકાર ચારેય ભાજપના ઉમેદવારોને મળી રહ્યો છે, જેના પરથી કોંગ્રેસ અને સાથેના અપક્ષ સહીત નવાણીયા ઉમેદવારોની ડીપોજીટ ડુલ થઇ જાય તેવા સંજોગો પણ જાણકારો સાથેની વાતચીતમાં જાણવા મળે છે,
-ભાજપના આ વિસ્તારના ગત ટર્મના કોર્પોરેટર અને આ વખતના ઉમેદવાર અરવિંદભાઇ વલ્લભભાઇ સભાયા
અરવિંદભાઇ સભાયા ભારતીય જનતા પાર્ટીનાં સનિષ્ઠ કાર્યકર તરીકે પાર્ટીમાં સેવાઓ આપી છે. સતત વોર્ડ નં. 7 માં ચાર ટર્મ વોર્ડ પ્રમુખ તરીકે જવાબદારી ગત પૂર્ણ થયેલ ટર્મમાં વોર્ડ નં. 7 માં કોર્પોરેટર તરીકે જવાબદારી સુપેરે તેવોએ નિભાવેલ, તેમજ પ્રજાનાં પ્રશ્નો વોર્ડનાં કાર્ય માટે સતત જાગૃત રહી. વોર્ડનાં કામમાં સરકારી યોજના અને લાભો વોર્ડમાં મળેલ ગ્રાન્ટમાં વિવિધ વિકાસલક્ષી કામ કરી વોર્ડને શાનદાર બનાવવા પ્રયત્નશીલ રહ્યા છે. પટેલ સમાજમાં સારૂં એવુ પ્રભુત્વ ધરાવતા નિષ્ઠાવાન કાર્યકર એવા અરવિંદભાઇ સમાજમાં અપાતી જવાબદારીઓ નિષ્ઠાથી નિભાવી સમાજ ઉપયોગી કાર્યમાં સતત સહકાર આપતાં રહ્યાં છે. વોર્ડનાં પ્રશ્નોમાં સક્રિય રસ લઇને અટકેલા કામમાં ગતિશીલતાં લાવી અને દરેક કામો લોકોના થાય તેવા તેના પ્રયાસો રહ્યા છે.
-શહેર ભાજપના આગેવાન અને પૂર્વ ડેપ્યુટી મેયર અને હાલના ઉમેદવાર ગોપાલભાઇ ગોરધનભાઇ સોરઠિયા
ગોપાલભાઇ ગોરધનભાઇ સોરઠીયા જેને જામનગરમાં લગભગ લોકો ઓળખતા હશે, પટેલ સમાજમાંથી આવતા ગોપાલભાઈ છેલ્લા 36 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામગીરી કરી રહેલ છે. પાર્ટીમાં વિવિધ જવાબદારીઓ વોર્ડ પ્રમુખ, શહેર મંત્રી, શહેર ઉપપ્રમુખ, શહેર મહામંત્રી, વોર્ડ પ્રભારી, સંગઠન પર્વના ઇન્ચાર્જ, ધારાસભા લોકસભાની ચુંટણીઓમાં મુખ્ય ઇન્ચાર્જ તરીકેની મહત્વની જવાબદારીઓનો અનુભવ ગોપાલ સોરઠીયા પાસે છે,
મહાનગરપાલિકામાં 2005 માં કોર્પોરેટર, શાસકપક્ષ નેતા, ડે. મેયર તરીકે જવાબદારીઓ સંભાળેલ. સામાજીક તથા અન્ય ક્ષેત્રે ગુજરાત મંડપ હાયર્સ એન્ડ ઇલેક્ટ્રીક એસો. ના ઉપપ્રમુખ અને હાલ કાર્યરત. જામનગર મંડપ એસો. ના પ્રમુખ તરીકે હાલ કાર્યરત, લેઉવા પટેલ સેવા સમાજના મંત્રી તરીકે, સરદાર પટેલ યુવક મંડળના મંત્રી તરીકે, પટેલ યુવક ગરબી મંડળનું 10 વર્ષ સંચાલન, વ્રજ વલ્લભ સોશ્યલ ગ્રુપના સભ્ય, હાલાર સોશ્યલ ગ્રુપના સંગઠન મંત્રી, ફેન્ડઝ સોશ્યલ ગ્રુપના મંત્રી, આર.એસ.એસ. રણજીતનગર શાખાના સ્વયંસેવક તરીકે તેમજ અલગ-અલગ વિવિધ સંસ્થાઓમાં સામાજીક તેમજ સમાજ ઉત્થાનના અનેક કાર્યો કરેલ છે.આમ સામાજિક અને રાજકીય બન્ને ક્ષેત્રોમાં ગોપાલભાઈ આગળ પડતા છે.
-મહિલા ઉમેદવાર પ્રભાબેન કિશોરભાઇ ગોરેચા
પ્રભાબેન કિશોરભાઇ ગોરેચા હાલ આ વિસ્તારના ઉમેદવાર છે, જેઓ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય એવાં સનિષ્ઠ મહિલા કાર્યકર છે. જેઓ વોર્ડ નં. 7 માં પૂર્વ મહિલા મોરચાના પ્રમુખ તરીકે સફળ કામગીરી કરેલ હતી. તેઓની સફળતામાં વિશેષ કલગી સ્વરૂપમાં ભારતીય જનતા પાર્ટી શહેર સંગઠનમાં મહિલા મોરચામાં પણ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સફળતાપૂર્વક સંભાળેલ હતી. તેમજ વોર્ડ નં. 7 માં 2015 માં ભારતીય જનતા પાર્ટીમાં મહાનગરપાલિકામાં ઉમેદવારી નોંધાવેલ. તેમની જ્ઞાતિ મંડળોમાં સક્રિય રહી કામગીરી કરેલ છે. એવો વોર્ડ નં. 7 માં મહિલા ઉમેદવાર પ્રભાબેન કિશોરભાઇ ગોરેચા એક નિષ્ઠાવાન મહિલા કાર્યકર તરીકે છાપ ધરાવે છે. તેમજ વોર્ડના પ્રશ્નોમાં અંગત રસ લઇ વોર્ડનાં કાર્યમાં મદદરૂપ થતાં હોય છે.
-મહિલા ઉમેદવાર લાભુબેન કાનાભાઇ બંધીયા
લાભુબેન આહિર જ્ઞાતિમાં બહોળું સર્કલ ધરાવે છે. સમાજમા સક્રિય રહી કામગીરી કરે છે. તેઓનું મુખ્ય શોખ ગીર ગાયનું સંવર્ધન અને પંચગવ્ય આધારીત ઓર્ગેનીક પ્રોડકટનું આધુનીક ‘અક્ષર ગીર ગૌ શાળા”નું સફળ અને સુવ્યસ્થિતિ સંચાલન કરે છે. સમાજ ઉપયોગી સેવાકાર્યમાં રસ લઇ કાર્યને સફળતા આપવા પ્રયત્નો કરે છે.વધુમાં જરૂરિયાતમંદ લોકો માટે હંમેશા ટેકાની જેમ ઉભા રહી યથાયોગ્ય મદદ કરતા ઉમેદવાર લાભુબેન લોકોમાં અને ખાસ તો આ વિસ્તારમાં જાણીતો ચહેરો છે. લાભુબેન બંધીયા જામનગર શહેર ભાજપના મહામંત્રી અને આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર મેરામભાઇ ભાટુના નાના બહેન પણ છે.