Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની ચુંટણી માટે વોર્ડ નંબર 3 મા યુવા આગેવાન શક્તિસિંહ જેઠવા સહિતના કોંગી ઉમેદવારોના ઝંઝાવાતી પ્રચારથી હવે પુનરાવર્તન નહી પરિવર્તનનો મતદારોનો મુડ જોવા મળ્યો છે, તેમજ એ પણ જાણવા મળ્યુ છે કે કોંગ્રેસને જે રીતે લોકોનો ઉમળકો મળે છે તે જોતા ભાજપની છાવણીમા સોંપો પડી ગયો છે તેમ વિશ્લેષકો કહે છે. વર્ષોથી વોર્ડ નંબર 3 મા લોકો વિકાસના પ્રચાર ઉપર મત આપી રહ્યા છે, પણ થવો જોઈતો વિકાસ આ વોર્ડમાં ના થયાનું કોંગ્રેસના ઉમેદવારો પ્રચાર દરમિયાન લોકોને જણાવી રહ્યા છે, આ વિસ્તારમાં ના માત્ર વિકાસ પણ પ્રાથમિક સુવિધા સહિતના કામોની સ્થિતિ જોઇ મોટાભાગનો વર્ગ કોંગ્રેસના શક્તિસિંહ જેઠવા તેમજ લલીતભાઇ ભાલોડી અને દિપ્તીબેન પંડ્યા તથા મીરાબેન રાયઠઠ્ઠાની ચારેયની કોંગ્રેસની પેનલને જીતાડી વોર્ડ નંબર 3 મા પરિવર્તન કરવા માંગે છે તેવો માહોલ પ્રચાર બાદ જોવા મળ્યો છે,
કોંગ્રેસના ઉમેદવારો લોકસંપર્ક કરે છે તેમજ લોકોના પ્રશ્નો સાંભળે છે લોકોને તેમની સુવિધા આપવાની ખાત્રી આપી રહ્યા છે અને લોકોનો વિશ્વાસ જીતી રહ્યા છે માટે જ જામનગર શહેરના વોર્ડ નંબર 3 માં જાણે પુનરાવર્તન નહિ પણ પરિવર્તનનો પવન આ ચુંટણીમાં ફૂકાવવા જઇ રહ્યો હોય તેવો માહોલ બન્યો છે, વધુમા જાણવા મળ્યા મુજબ કોંગ્રેસના ત્રણ નંબર વોર્ડના ઉમેદવાર અને યુથ કોંગ્રેસના આગેવાન અને લડાયક એવા શક્તિસિંહ મહેન્દ્રસિંહ જેઠવા તેમજ લોકોમા જાણીતા લલીતભાઈ ભાલોડી (પટેલ) સેવાભાવી એવા દિપ્તીબેન કમલેશભાઇ પંડ્યા તથા અનેક સેવાકીય પ્રવૃતિ કરતા મીરાબેન રાજેશભાઇ રાયઠઠને ચુંટણી પ્રચારમાં એવો તો આવકાર મળી જ રહ્યો છે કે આ ચુંટણીમાં પરિણામ કઈક ચોકાવનારું હશે, કોંગ્રેસના ચારેય ઉમેદવારો જાહેર થયા બાદ વોર્ડ નંબર 3 ના વિવિધ વિસ્તારોમાં વ્યાપારીઓ, રહેવાસીઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને તેવો સાથે જે ર્રીતે વાતચીત કરી રહ્યા છે અને તેના પરથી જે રિસ્પોનસ મળે છે તેને જોતા લાગે છે કે આ વિસ્તારમાં પંજો કમળને કચડી નાખશે અને ચારેય ઉમેદવારો વિજેતા બને તેવા સંજોગો પ્રચાર દરમિયાન બની રહ્યાનું જાણવા મળે છે.
વોર્ડ નંબર ત્રણ ના અનેક વિસ્તારોમા લોકોને સુવિધા મળી નથી તે કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર દરમ્યાન જોયુ અને લોકો પાસેથી પણ જાણવા મળ્યુ કે આટલા વર્ષથી તો વિકાસની માત્ર વાતો થઇ પરંતુ જો પચીસ પચીસ વર્ષથી ભાજપનુ શાસન હોય તો બધી જ પ્રાથમિક સુવિધા તો મળવી જોઇએ ને તેવા લોકોના સવાલ કોંગ્રેસના ઉમેદવારોને પ્રચારમા જાણવા મળ્યા અને કોંગ્રેસના વોર્ડ નંબર ત્રણ ના ઉમેદવારોએ પ્રચાર દરમ્યાન ખોટા વચન આપ્યા નથી પરંતુ એમ કહ્યુ કે અમે નાગરીકોની જરૂરી સગવડતા સુવિધા જે કોર્પોરેશને ફરજીયાત આપવાની છે તે અપાવીને જ રહીશું…આ વાત ઉપર લોકોને વિશ્વાસ આવ્યો છે અને વોર્ડ નંબર ૩ મા હવે કોંગ્રેસની પેનલ વિજયી થાય તેવો માહોલ બનવા લાગ્યો છે,
વોર્ડ નંબર 3 ના કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ જેઠવા તેમજ લલીતભાઇ ભાલોડી અને દીપ્તીબેન પંડ્યા તથા મીરાબેન રાયઠઠ્ઠા લોકોમા એવા છવાઇ ગયા છે કે આ ચારેયની પેનલ વીન છે તેવો ચુંટણી પ્રચારમા માહોલ બન્યો છે તેમજ શક્તિસિંહ જેઠવા સહિતના ઉમેદવારોને લોકોએ હવે પોતાના પ્રતિનિધી તરીકે સ્વીકારી લઇ પરિવર્તન કરવાનુ મન બનાવ્યુ હોઇ ભાજપની છાવણીમાં સોંપો પડી ગયો છે અને કોંગ્રેસની છાવણીમાં અત્યારથી જ અનેરા ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.