Mysamachar.in-જામનગર
તાજેતરમાં કુદરતે જાણે કહેર વર્તાવ્યો હોઈ તમે ભારેથી અતિ ભારે વરસાદના કારણે જામનગર જીલ્લામાં ખેડૂતોના પાક નાશ પામેલ તેમજ જમીનનું મોટાપાયે ધોવાણ થયેલ છે, અત્યારે સરકારના લગત વિભાગ દ્વારા સર્વે કરવામાં આવેલ છે તે રાજ્ય સરકારના મહેસુલ વિભાગના તા. 27-04-2015ના પરિપત્ર મુજબ ખેડૂતોની જમીન ધોવાણના કિસ્સામાં 2 હેક્ટર કે 2 થી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને જ જમીન ધોવાણની સહાય ચુકવવામાં આવે છે, અત્યારે તે મુજબ જમીનનો સર્વે કરાવવામાં આવી રહ્યો છે. તે 2 હેક્ટર કે 2 થી વધુ જમીન ધરાવતા ખેડૂતો માટે અન્યાય અને પડ્યા પર પાટુ સમાન છે. અન્નદાતા એવા ખેડૂતોને એક સમાન ન્યાય હોવો જોઈએ તેથી 27-04-2015ના પરિપત્રમાં સુધારો કરી 2હેક્ટર કે 2થી વધુ જમીન ધરાવતા ખેડૂતોને સહાય યોગ્ય ગણવામાં આવે અને તેમની જમીનનો સર્વે કરી તેઓને સહાય ચુકવવામાં આવે અને જો આ પરિપત્રમાં સુધારો કરી સહાય ન ચુકવવામાં આવી તો ખેડૂતોને સાથે રાખી બિનરાજકીય રીતે ઉપવાસ આંદોલનની ચીમકી જામનગર જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને જામનગર ગ્રામ્ય વિસ્તારના ખેડૂત અગ્રણી વશરામ રાઠોડ દ્વારા મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને કરેલ રજુઆતમાં ચીમકી ઉચ્ચારી છે.