Mysamachar.in-જામનગર:
કુખ્યાત સાતનારી ગેંગની છાપ ધરાવતા મુખ્ય સુત્રધાર વલ્લભ મનજી જે હત્યા સહિત ધાડ-લૂંટ ના ગુનામા રાજકોટ જેલમાંથી જામીન ઉપર છૂટ્યા બાદ ફરાર થઇ ગયેલ હોય જે ખુંખાર રીઢા ગુનેગાર વલ્લભ મનજીને ઝડપી પાડવામાં જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડને સફળતા મળી છે, મળતી માહિતી પ્રમાણે એલ.સી.બી.પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ગોહિલના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો પેરોલ ફર્લો તેમજ નાસતા-ફરતા ગુનેગારોને શોધી કાઢવાની ડ્રાઇવ અનુસંધાને જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.
દરમ્યાન સ્ટાફના ગોવિંદભાઇ ભરવાડ, સલીમભાઇ નોયડા, તથા ભરતભાઇ ડાંગર કાસમભાઇ બ્લોચ નાઓને સંયુકત રીતે બાતમી હકિકત મળેલ કે, આજથી ચૌદ વર્ષ પહેલા આંતક મચાવનાર કુખ્યાત સાતનારી ગેંગનો મુખ્ય સુત્રધાર વલ્લભ ઉર્ફે દિનેશ મનજી ઉર્ફે દેવરાજ વાજેલીયા દેવીપુજક રહે-મુંગણી ગામ તા.જી. જામનગરવાળો જેને પોતાના સાગરીતો સાથે મળી વર્ષ-2008 મા ખંભાળીયાના સામોર ગામની વાડી વિસ્તારમાં ધાડ પાડી ખેડુત દંપતિને લુંટી ખેડુતની ક્રુરતાપુર્વક હત્યા કરેલ હોય જેને આ ચકચારી હત્યાના કેસમા આજીવન સજા પડતા રાજકોટ મધ્યસ્થ જેલમા સજા ભોગવતો હોય જે રાજકોટ જેલમાર્થી વચગાળાના જામીન ઉપર છુટ્યા બાદ ફરાર થઇ ગયેલ હોય અને હાલ ગુલાબનગર ઓવરબ્રીજ નિચે આવેલ છે જે હકીકત આધારે આ આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવા અંગેની તજવીજ કરવામાં આવેલ છે.
આ આરોપી અગાઉ જામજોધપુરના અમરાપર ગામની વાડી વિસ્તારમાં વર્ષ 2007મા સાગરીતો સાથે મળી હથિયાર સાથે આવીને ખેડુત દંપતિને બંધક બનાવી માર મારી લુંટ ચલાવી ફરાર થઇ ગયેલ હતો તેમજ લુંટ ઘાડ કરવાની ટેવવાળો હોય અગાઉ પણ લુંટ-ઘાડમાં સજા પામેલ આરોપી છે જેમાં સજા બાદ પણ સહઆરોપીઓ સાથે જામનગર જિલ્લા જેલ તોડીને નાશી ગયેલ હતો
આ કામગીરી પેરોલ/ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ગોહિલ તથા એ.એસ.આઇ ગોવિંદભાઇ ભરવાડ લખધીરસિંહ જાડેજા,ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઈ બ્લોચ, રણજીતસિંહ પરમાર, રાજેશભાઇ સુવા, મેહુલભાઇ ગઢવી, કરણસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર, મહિપાલભાઇ સાદિયા,ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા અરવિંદગીરી ગોસાઇ તેમજ એલ.સી.બી.ના નિર્મલસિંહ જાડેજા તથા બળવંતસિંહ પરમારનાઓ દ્વારા કરવામાં આવેલ છે.