Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની વગોવાયેલી ટાઉનપ્લાનીંગ શાખાના ત્રણ કર્મચારીઓને સાંકળીને એક સસ્પેન્ડેડ આર્કિટેક દ્વારા કરવામાં આવી રહેલી વહીવટની વાતચીતનો ઓડિયો થોડાદિવસો પૂર્વે વાઈરલ થયા બાદ ના માત્ર મનપામાં આ મુદ્દાની ચર્ચાઓ થઇ રહી છે, પણ સમગ્ર શહેરમાં આ મુદ્દાએ એવી તો ચકચાર મચાવી છે, કે હવે આ મામલે શું થશે તેના પર સૌની નજર છે, ત્યારે આ મામલે સીટી ઈજનેર શૈલેશ જોશીના જણાવ્યા મુજબ જે કર્મચારીઓને સાંકળીને આ ક્લીપમાં વાતચીત છે તેવા ત્રણ કર્મચારીઓ ધવલ પંડ્યા, દીપ વેકરીયા અને કેતન પટેલ નો શોકોઝ નોટીસ આપીને ખુલાસો પૂછવામાં આવ્યો હતો અને ત્રણેય કર્મચારીઓએ પોતાનો બચાવ રજુ કરતો ખુલાસો આપ્યાનું જોશીએ જણાવ્યું છે,
જેમાં તમામ ત્રણેય કર્મચારીઓએ પોતાનો બચાવ રજુ કર્યો છે, તે વાત સ્વાભાવિક છે પણ ખુલાસો કરનારને બચાવવા કેટલાક રાજકીય લોકો પણ મેદાને આવ્યા છે, કારણ કે પોતાનો માણસ આવી બ્રાન્ચમાં હોય તો લગતના કામો ઝડપથી પતાવવા હોય તો પતી જાય…વધુમાં જે ખુલાસો છે તે બ્રાંચને બદનામી ના થાય તેના માટે કોઈ ચોક્કસ વ્યક્તિએ તૈયાર કરાવી દીધા હોય તેમ લાગે છે.હવે ઓડિયોક્લીપમાં થઇ રહેલી વાતચીત અને ખુલાસાઓને ધ્યાને રાખીને આગળ શું થાય છે કે પછી હતું એમ નું એમ..!
-અહો આશ્ચર્યમ…બચાવ એવો કર્યો કે ઉછીની રકમ માંગી છે..
ઇન્ચાર્જ ટાઉનપ્લાનીંગ ઓફિસર શૈલેશજોશીના જણાવ્યાનુસાર દીપ વેકરીયાએ એવો ખુલાસો કર્યો છે કે મેં તો હાથઉછીના પૈસા માંગ્યા હતા, તો બીજા બે તો એને પણ વટાવે તેવા નીકળ્યા અને બિલ્ડર પાસેથી એનઓસી લાવ્યા કે અમે પૈસા નથી દીધા..આવા ખુલાસો અને વાતો સરકારીખાતા સિવાય કોઈને ગળે ઉતરે તેમ નથી, પણ હવે મ્યુ.કમિશ્નર જેવોની છાપ એક ઈમાનદાર અધિકારીની છે તે કેવા પગલા લે છે તે જોવાનું છે. પણ ખુલાસાઓ એ એટલું ખોલી દીધું કે સામે આવેલી ક્લીપ સાચી છે.
-ટાઉનપ્લાનીંગ વિભાગમાંથી કોઈની બદલી ના થઇ શકે..?
મનપાના આધારભૂત સુત્રો જણાવે છે કે ચોક્કસ “ગોઠવણ” માં ખલેલ ના પડે તે માટે ટાઉનપ્લાનીંગ વિભાગમાં ક્યારેય બદલીનો ગંજીપો ચાંપવામાં આવતો નથી, ખરેખર કોન્ટ્રાક્ટબેઝ કર્મચારી હોય અને એક ને એક જગ્યાએ બેસવાનું મળી જાય તો બીજું જોઈ શું..!