Mysamachar.in-જામનગર:
જામનગરમાં હરહમેશ સેવાકાર્યો અને જરૂરિયાતમંદ લોકોની પડખે ઉભા રહીને પરિવારની જેમ સેવા કરનાર જામનગરના લાલ પરિવાર દ્વારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસથી ઉજવણીના ભાગરૂપે કોઈ ખોટા તામજામ નહિ પરંતુ જરૂરિયાતમંદ લોકોને જેની આવશ્યકતા હોય તેવા લોકોને આંખોની ચકાસણી એટલે કે દરેક કેમ્પમાં જરૂરીયાતમંદ નાગરીકોને નંબર કાઢી આપી સ્થળ પર જ આંખના ચશ્માનું વિનામુલ્યે વિતરણ કરવાનો એક અનોખો યજ્ઞ લાલ પરિવારના જીતુભાઈ લાલની રાહબરી હેઠળ આરંભ થશે, વધુમાં જરૂરિયાતમંદ લોકોને હેરાન પરેશાન ના થવું પડે જે-તે વિસ્તારોમાં જ આવા કેમ્પોનું આયોજન ગોઠવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે,
જામનગર શહેરના તમામ વોર્ડના જુદા-જુદા 30 વિસ્તારોમાં નેત્રયજ્ઞની શ્રૃંખલાનું આયોજન હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. જેનો શુભારંભ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસના રોજ તા.16-03-2022 ના સવારે 9:30 વાગ્યે આણદાબાવા આશ્રમના પટાંગણમાં આયોજીત સમારોહથી થશે.આ નેત્રયજ્ઞની શ્રૃંખલાનો શુભારંભ મહાનુભવો અગ્રણીઓની ઉપસ્થિતી સાથે આણદાબાવા આશ્રમના મહંત પૂ.શ્રી દેવપ્રસાદજી મહારાજના આર્શિવાદ સાથે થશે. શહેરના તમામ 16 વોર્ડના જુદા-જુદા 30 વિસ્તારોમાં ક્રમશઃ યોજાનારા નેત્રયજ્ઞમાં જરૂરિયાતમંદ નગરજનોને આંખના નંબર કાઢી આપી સ્થળ પર જ નંબરવાળા ચશ્માનું વિતરણ કરવામાં આવશે. શહેરના જુદા-જુદા 30 વિસ્તારોમાં દર શનિ-રવિવારના દિવસોમાં યોજાનારા નેત્રયજ્ઞમાં જે તે વિસ્તારના કોર્પોરેટરો, સ્થાનિક આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહેશે.