Mysamachar.in-જામનગર
જામનગર મનપાની ચુંટણી માટે ઉમેદવારીપત્ર પરત ખેચવાનો આજે અંતિમ દીવસ છે, ત્યારે આજે રાજકીયપક્ષો કાવાદાવાઓ અખત્યાર કરશે એવામાં આજે આમ આદમી પાર્ટીના વોર્ડ નં 7ના હીનાબેન અઘેડા અને વોર્ડ નં 8 આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુંદનબેન આમણીયાએ ફોર્મ પરત ખેચી લેતા આમ આદમી પાર્ટીને ફટકો પડશે, આ બન્ને મહિલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેચી ભાજપને ટેકો જાહેર કર્યાનું ભાજપના મહામંત્રી મેરામણ ભાટુએ જણાવ્યું હતું.