Mysamachar.in-જામનગર
જામનગરમાં આજે કોરોના વાયરસ પોજીટીવના વધુ 2 કેસ નોંધાયા છે, સમરસ હોસ્ટેલમાં રાખવામાં આવેલ બે વ્યક્તિઓના રીપોર્ટ કરવામાં આવતા બન્ને ના રીપોર્ટ પોજીટીવ આવતા બન્નેને સારવાર અર્થે જી જી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે, તો સારા સમાચાર એ પણ છે કે આજે બે દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા તેને રજા આપવામાં આવી છે, અત્યારસુધીમાં જામનગરમાં કુલ 53 કેસો નોંધાયા છે, જેમાં થી 2 ના મોત થયા છે અને 42 લોકો સ્વસ્થ થયા છે, અને હાલ 9 દર્દીઓની સારવાર ચાલી રહી છે.