Mysamachar.in-જામનગર
જામનગર નજીક ધુવાવ ગામ પાસે તાજેતરમાં ત્રણેક યુવકો નહાવા પડ્યા હતા, અને તેમાંથી 2 નો બચાવ જ્યારે એક નું મોત થયું હતું, ત્યાં જ આજે વધુ એક કરુણ ઘટના અલીયાબાડા ગામેથી સામે આવી છે, આજે બપોરના સુમારે અલીયાબાડા ગામથી શેખપાટ તરફ જતા ચેકડેમમાં નહાવા પડેલ એક 50 વર્ષીય અને 45 વર્ષીય પુરુષ આમ બન્નેના ડૂબી જતા મોત નીપજ્યા છે, હાલ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે જામનગર લવાયા હોવાની માહિતી મળી રહી છે.