Mysamachar.in-જામનગર:
જામનગરમાં વસવાટ કરતા ચેતન અરૂણભાઈ જોશીના ઘરે કોઈ હાજર ન હોય વિજ કંપનીના અધિકારીઓ દ્રારા તેમની ગેરહાજરીમાં તા.24/4/2013 ના રોજ ચેકીંગ કરવામાં આવેલ અને ઘરના ફળીયામાં લાગેલ મીટર ખીટી ઉપર ટીંગાળેલ છે, અને આડું છે તેવા ખોટા આક્ષેપો કરી ચેકિંગ શીટ ભરી જતા રહેલ. ત્યારબાદ ફરી પાછું તા.7/5/2013 ના રોજ વિજ કંપની દ્વારા મીટર ઉતારવામાં આવેલ તે વખતે મીટરમાં કોઈ વાંધા જણાવેલ નહી. અને નવું મીટર લગાડવામાં આવેલ તા.21/5/2013 ના રોજ મીટર નું લેબરોજ કામ કરવામાં આવેલ મીટરના લેબરોજ કામમાં પણ કાંઈ વાંધા જનક ન નીકળતા મીટર બરાબર માલુમ પડેલ,
તેમ છતાં તા.5/6/2013 ના રોજ વાદી ચેતનભાઈને વિજ ચોરીનું બીલ તથા કમ્પાઉન્ડીંગ ચાર્જની રકમ ભરપાઈ કરવાનું જણાવેલ અન્યથા કનેકશન કાપી નાખવાની ધમકી આપતા વાદીએ રકમ વાંધા સાથે ભરપાઈ કરેલ અને ત્યારબાદ રકમ પરત મેળવવા નામદાર કોર્ટમાં દાવો દાખલ કરેલ. હાલમાં આ દાવો ચાલી જતા નામદાર સીવીલ કોર્ટ દ્વારા વાદી તરફના પુરાવા, પ્રતિવાદીના સાહેદોની ઉલટ તપાસ તથા વાદી વકીલની દલીલો અને નામદાર ગુજરાત હાઈકોર્ટ ના ચુકાદાઓ ધ્યાને લઈ વાદીનો દાવો ખર્ચ તથા વ્યાજ સહિત મંજુર કરી ભરપાઈ થયેલ રકમ ભરપાઈ કર્યા તારીખથી વાર્ષિક 6% વ્યાજ સહિત પરત ચુકવવાનો હુકમ કરેલ. અને આમ, સાચા અને ઈમાનદાર ગ્રાહકને સાચો ન્યાય મળેલ અને વિજ ચોરીના આક્ષેપોમાંથી મુકત કરેલ.