Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાના વગર આયોજને કેટલાક ખર્ચાઓ કરવામાં માહિર છે, થોડા સમય પૂર્વે મનપા દ્વારા ટ્રી ગાર્ડ અને કચરા પેટીઓની ખરીદી કરવામાં આવી હતી તે પૈકીના નવા નકોર કેટલાય ટ્રી ગાર્ડ હાલ મનપા પટાંગણમાં જ ધૂળ ખાઈ રહ્યા છે. એટલે કે કહીએ તો તેનો ઉપયોગ થતો નથી એવામાં તાજેતરમાં જ એક સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આવા ટ્રી ગાર્ડ ખરીદવા 6 લાખથી વધુનું ખર્ચ મંજુર થયું છે, ત્યારે આજે મનપા વિપક્ષ નેતા સહીતના કેટલાક વિપક્ષ સભ્યોએ મનપા પટાંગણમાં અનોખો વિરોધ આ ટ્રી ગાર્ડને લઈને નોંધાવ્યો,
આનંદ રાઠોડે જણાવ્યું કે આજે અમે જે શ્રદ્ધાંજલિ આપી તે આપવાનું કારણ એવું છે કે ત્રણ ત્રણ વર્ષથી મનપાના પટાંગણમાં ખુણામા કચરા પેટી અને ટ્રી ગાર્ડ ખુણામાં ઘા ખાય છે, ખુણામાં રાખવાની જરૂર નથી ખરેખર વૃક્ષો વાવેતર થાય ત્યાં ટ્રી ગાર્ડ નો ઉપયોગ થવો જોઈએ, અને સભ્યો તેમજ લોકોને ટ્રી ગાર્ડ આપવામાં આવતા નથી, જો આગામી દિવસોમાં ટ્રી ગાર્ડ નહિ આપવામાં આવે તો વિપક્ષ ખુદ પોતે આ કચરા પેટીઓ અને ટ્રીગાર્ડ ઉઠાવી અને પદાધિકારીઓ અને અધિકારીઓની ચેમ્બરમાં મૂકી દેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.