Mysamachar.in-ગાંધીનગર:
છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં IPS અધિકારીઓની બદલી અને બઢતીઓની ચર્ચા વચ્ચે ગત મોડીરાત્રે ગૃહ વિભાગ દ્વારા આખરી યાદી પર મહોર મારી દેવામાં આવી છે, જેમાં રાજ્યના 74 IPS અને SPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં સંજય શ્રીવાસ્તવને અમદાવાદના પોલીસકમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે સુરત પોલીસ કમિશનર તરીકે અજય તોમર અને આર.બી. બ્રહ્મભટ્ટને વડોદરાના પોલીસકમિશનર તરીકે મુકવામાં આવ્યા છે. અભય ચુડાસમાની ગાંધીનગર રેન્જ આઇજી તરીકે બદલી કરવામાં આવી છે.
હાલાર એટલે કે દેવભૂમિ દ્વારકા અને જામનગર જીલ્લાની વાત કરવામાં આવે તો જામનગરના એસ.પીની બઢતી સાથે સુરતના ટ્રાફિક અને ક્રાઇમમાં એડિશનલ કમિશનર ઓફ પોલીસ તરીકે બદલી કરવામાં આવી છે .જ્યારે જામનગરના એસપી તરીકે ડાંગ-આહવા એસ.પી તરીકે ફરજ બજાવી રહેલા મહિલા આઈપીએસ અધિકારી સ્વેતા શ્રીમાળીને મુકવામાં આવ્યા છે, તો દેવભૂમિ દ્વારકા એસપી રોહન આનંદને અમદાવાદ જેલ વિભાગના એક્સ કેડરના સુપ્રિટેન્ટડેટ તરીકે બદલી કરવામાં આવી છે.તેમના સ્થાને સુનીલ જોશીને મુકવામાં આવ્યા છે.
જામનગરના એસ.પી શરદ સિંઘલનો સરળ સ્વભાવ, જીલ્લામાં તેમના કાર્યકાળ દરમિયાન બનેલ ગંભીર ગુનાઓના ડીટેકશન અને કન્ટ્રોલ પર શીંધલએ મજબૂત પક્કડ બનાવી અને જામનગર જીલ્લામાં ખુબ સારી લોકચાહના મેળવી હતી, ત્યારે હવે શરદ સિંઘલને સ્થાને જામનગર જિલ્લાને લાંબા સમય બાદ મહિલા IPS અધિકારી મળવા જી રહ્યા છે. એ જ રીતે દ્વારકા એસપી તરીકે રોહન આનંદ દ્વારા તેમના કાર્યકાળમાં ખુબ સારી કામગીરી કરવમાં આવી છે.