Mysamachar.in-રાજકોટ:
પશ્ચિમ રેલવે વિભાગે પ્રવાસીઓની સુવિધા હેતું જામનગર બ્રાંદ્રા હમસફર એક્સપ્રેસ સહિત કુલ ત્રણ ટ્રેન કાર્યરત કરી દીધી છે. જામનગર-બ્રાંદ્રા હમસફર એક્સપ્રેસ, અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ અને રાજકોટ ડિવિઝનની વેરાવળ ઈન્દોર મહાનામા ટ્રેન શરૂ કરવામાં આવી છે. રાજકોટ વિભાગના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર આ તમામ ટ્રેન ફરી શરૂ કરવામાં આવી છે. ટ્રેન નં.09124 જામનગર-બ્રાંદ્રા દર મંગળવારે, શુક્રવારે અને રવિવારે 8.00 વાગ્યે સાંજે જામનગરથી રવાના થશે. જે બીજા દિવસે 9.30 વાગ્યે બ્રાંદ્રા ટર્મિનલ પહોંચશે. તા. 25 જુલાઈથી આ ટ્રેન આગળની સૂચના સુધી દોડશે. આ ટ્રેન બંને તરફથી બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ તેમજ હાપા સ્ટેશને રોકાશે. આ ટ્રેનમાં 3 ટાયર એસી તેમજ સ્લીપર કોચ માટે પણ વ્યવસ્થા છે.
ટ્રેન નં.09419/09420 અમદાવાદ-સોમનાથ સ્પેશ્યલ ટ્રેન દરરોજ 10.40 વાગ્યે અમદાવાદથી રવાના થશે. જે સાંજે 7.40 વાગ્યે સોમનાથ પહોંચશે. તા. 21 જુલાઈથી આ ટ્રેન આગામી સૂચના ન મળે ત્યાં સુધી દોડશે. આ જ રીતે ટ્રેન નં.09420 સોમનાથ-અમદાવાદ સ્પેશ્યલ ટ્રેન દરરોજ 6.35 કલાકે સોમનાથથી રવાના થશે અને સાજે 4.25 કલાકે અમદાવાદ આવશે. આ ટ્રેન તા.22 જુલાઈથી આગળની સુચના સુધી દોડશે. આ ટ્રેન સાબરમતી, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાકાંનેર, રાજકોટ, ભક્તિનગર, ગોંડલ, વિરપુર, જેતલસર, કેશોદ, માળીયાહાટિના, ચોરવાડ અને વેરાવળ સ્ટેશન પર સ્ટોપ લેશે. બંને તરફથી આ સ્ટેશનો પર ટ્રેન રોકાશે. ચેર કાર અને સેકન્ડ ક્લાસ કોચનો આ ટ્રેનમાં સમાવેશ કરાયો છે.
ટ્રેન નં.09303 વેરાવળ ઈન્દોર સ્પેશ્યલ ટ્રેન દર બુધવારે વેરાવળથી 10.20 વાગ્યે રવાના થશે. જે બીજા દિવસે 05.05 વાગ્યે સવારે ઈન્દોર પહોંચશે. આ ટ્રેન તા.21 જુલાઈના રોજ આગળની સુચના સુધી દોડશે. આ જ રીતે ટ્રેન નં.09304 ઈન્દોર વેરાવળ સ્પેશ્યલ ટ્રેન ઈન્દોરથી 10.25 પ્રસ્થાન કરશે. જે બીજા દિવસે4.25 વાગ્યે વેરાવળ પહોંચશે. તા.20 જુલાઈથી આ ટ્રેન આગામી સુચના સુધી દોડશે. આ ટ્રેન બંને તરફથી દેવાસ, ઉજ્જૈન, રતલામ, ગોધરા, અમદાવાદ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ સ્ટેશન પર સ્ટોપ કરશે.