Mysamachar.in-જામનગર
આજે વિશ્વ ફૂડ સેફટી દિવસ છે, ત્યારે કોરોના ભલે ગમે તેટલો હોય પણ સ્વાદરસિયાઓ ચટપટુ આરોગવા માટે કાયમી તૈયાર જ હોય છે, આ સિવાય પણ ખાણીપીણીનો ધંધો આમ તો બારેમાસ ચાલતો ધંધો છે, પણ આ તમામ વચ્ચે ચોખાઈ, યોગ્ય માત્રા, ખોરાક ખાદ્ય કે અખાદ્ય તે બધું જોવાની ફરજો શહેરમાં મહાનગરપાલિકાની ફૂડ શાખા તો ગ્રામીણ વિસ્તારોમાં સ્ટેટ ફૂડ વિભાગની છે તેનું તો જાણે અસ્તિત્વ જ ના હોય તેવું આ વિભાગ થઇ ગયું હોય તેમ લાગે છે, તો વળી જામનગર કોર્પોરેશનની ફુડ શાખાની તપાસ માટે વિસ્તાર અને ફુડ કેટેગરી જાણે બાંધેલી હોય તેમ ચોક્કસ વિસ્તારો જ અને ચોક્કસ પ્રકારના ફુડ જ ચેક કરી સંતોષ માની લેવાય છે બીજી તરફ સ્ટેટ ફુડ એન્ડ ડ્રગ તો ચેકીંગ કરે છે કે નહિ તે તો બહાર જ નથી આવતુ.!!
જામનગર કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા ફરસાણ, મીઠાઇ, ખાણીપીણીની તપાસ માટે રેકડી કેબીન દુકાન સાદા રેસ્ટોરન્ટમાં કામગીરી થઇ રહી છે અને ફૂડ શાખા દ્વારા તપાસ હાથ ધરી અયોગ્ય ખાદ્ય પદાર્થોનો નિકાલ પણ થઇ રહ્યો છે જરૂર પડયે નોટીસો પણ અપાય છે, રેકડીઓમાં અને ખુલ્લામાં થતા વેચાણમાં વધારો થતો હોવાના અહેવાલ સામે આવ્યા છે. પરંતુ જા.મ.પા.ની ફૂડ શાખા દ્વારા આ તમામ બાબતો નજર અંદાજ કરવામાં આવે છે.
ઉપરાંત સમર્પણ રોડ ઢીંચડા વિસ્તાર નાઘેડી સબસ્ટેશનથી માંડી લાલપુર બાયપાસ લગત વિસ્તારોથી મોરકંડા રોડ વિજરખી રોડ ધુંવાવ રોડ નાગના બેડી સુધી જતા આવતા વચ્ચે આવતા રોડ વિસ્તાર ગલી ખાંચા એમ ચોતરફ ની દરેક વિસ્તારની તમામ રેકડી બેકરીઓ ફાસ્ટ ફુડ ઠેલા પથારા તાવા સ્ટેન્ડ કેબિન જેવાતેવા ધાબા ખુલ્લા રેસ્ટોરન્ટ મોટી હોટલો કે નાની હોટલો રેસ્ટોરન્ટો તમામ ના વર્ષ દરમ્યાન વિસ્તાર વાઇઝ આયોજન કરી ચેક ન કરી શકાય??? તો દરેક સ્થળ ચેક થઇ શકે તેમ છે
ખોરાક બનાવનાર તંદુરસ્ત છે તેનુ ચેકીંગ સ્વચ્છતાનુ ચેકીંગ પાણી ના ચેકીંગ રસોઇ બને છે તે સામગ્રી ક્યા રાખી છે તેનાથી માંડી દરેક ચેકીંગ રસોઇ કેમ રખાય છે કેમ પિરસાય છે રસોડામા જવા દેવાય છે કે કેમ તાજુ છે કે કેમ વાસી છે કે કેમ બગડેલુ સડેલુ છે કે કેમ વાસણો સાફ થાય છે કે કેમ ત્યા કોરોના માર્ગદર્શિકા પાલન છે કે નહિ આરોગ્ય ચકાસણી અને નિયમપાલન છે કે કેમ ઢાંકેલુ છે કે કેમ યુરીન ટોયલેટ થી દુર છે કે કેમ જીવાત માખી મચ્છર ખાડા ગંદકીથી દુર છે અથવા આવુ કંઇ છે કે કેમ અથવા જનઆરોગ્યના ચેડા કરતી બીજી કોઇ બાબતો છે કે કેમ આવી તમામા તપાસો થવી જોઈએ તેમ જાણકારો કહે છે,
હાલારના બંને જિલ્લાઓ અને તાલુકાઓમા હોટલ રેસ્ટોરન્ટ સહિત ખાદ્ય ચીજ તેમજ પીણાના વેંચાણ તેના ઉત્પાદન સ્થળોની સતત તપાસ જરૂરી છે વળી આશ્ર્ચર્યકારક રીતે હાઇવે પરના ધાબાઓમા તો નિયમિત ચેકીંગ થતા હોય તેવુ તો ક્યારેય જાહેર થયુ નથી માત્ર વાર તહેવારના દરોડા એ તો માત્ર ખેલ હોય છે જેમાથી જુજ કેસને બાદ કરતા કોઇની સામે ઠોસ પગલા લેવાતા જ નથી તેમ જાણકારો કહે છે. હોટલ-રેસ્ટોરન્ટસમાં પીરસાતા ખાધ સામગ્રીઓ આરોગ્યપ્રદ છે કે, નહીં તેની ચકાસણી ચોમાસાના દિવસો દરમિયાન કરવા સરકારે તો આદેશ કર્યો જ છે. પણ અમલવારી કેમ અને કોણ કરાવશે તે સવાલ અડીખમ ઉભો છે.