Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુરમાં ખેતીકામ કરતા એક યુવકને જેની સાથે ખેતી ભાગમાં રાખેલ તેના દ્વારા માનસિક ત્રાસ આપી મરી જવા મજબુર કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકે જાહેર થઇ છે, સામતભાઇ નાગાભાઇ મોઢવાડીયા ઉ.વ.૩૯ રહે.ચંદ્રાવાડા ગામ તા.કલ્યાણપુરએ ઝેરી ટીકડા ખાઈ અને આપઘાત કર્યા બાદ મૃતકના પત્ની સુમરીબેન દ્વારા ભીખુ રામદે મોઢવાડીયા રહે મુળ ગામ ચંદ્રાવાડા હાલ U.K, ગીતાબેન ભીખુ રામદે મોઢવાડીયા રહે ગામ ચંદ્રાવાડા, ભરત કળછા રહે. જુનાગઢ વિરુદ્ધ પોતાના પતિને આપઘાત કરવા મજબુર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે,
જેમાં સુમરીબેનના પતિએ ભીખુ રામદે મોઢવાડીયા સાથે વાડી(ખેતી) છેલ્લા ચાર માસથી ભાગે વાવેલ હોય અને ભીખુ રામદે મોઢવાડીયાએ મરણજનાર સામતભાઈને અવાર-નવાર છેલ્લા પંદરેક દિવસથી મૃતકના ફોન નંબર પર ઉપર અલગ-અલગ તારીખ સમયે વિદેશના ફોન નંબરમાંથી ફોન દ્રારા ધાક ધંમકી આપી જાનથી મારી નાખવાની ધંમકીઓ અવાર નવાર આપી માનસીક ત્રાસ ગુજારતા હતા, ઉપરાંત ગીતાબેન ભીખુ રામદે મોઢવાડીયા અવાર-નવાર વાડીએ આવી મરણજનારને ગાળો અને ધંમકીઓ આપી માનસીક ત્રાસ આપતા હતા,
જેમાં ભરત કળછા પણ મદદગારી કરતા હોય આમ ત્રણેયએ મરણજનારને વારંવાર ફોન દ્રારા તથા વ્હોર્ટસપ દ્રારા ઓડીયો કિલીપ મોકલી અવારનવાર છેલ્લા પંદરેક દિવસથી મરણજનારના ફોન નંબર પર વાડી ખાલી કરી નાખવા તેમજ વાવેતર ન કરવા તથા મગફળી ઉપાડવા ગયો તો તને જાનથી મારી નાખીશ તેમ ફોન ઉપર ધમકીઓ આપી માનસીક ત્રાસ આપી ગાળો આપી જાનથી મારી નાખવાની ધંમકીઓ આપી એકબીજાને મદદગારી કરી હોય જેથી ફરિયાદીના પતિ સામતભાઈ મરવા મજબુર થયા સબબની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાઈ છે, જેની તપાસ ચાલી રહી છે.