Mysamachar.in-જામનગર
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓના દિવસો ગણાઈ રહ્યા છે, ત્યારે જામનગર જીલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય નાથાભાઈ ગાગલીયાને ધમકી મળી હોવાની ફરિયાદ તેણે લાલપુર પોલીસ મથકમાં નોંધાવી છે, જે ફરિયાદ તેમણે નોંધાવી છે તે પ્રમાણે પોતે જીલ્લા પંચાયતના કોંગ્રેસ પાર્ટીના સદસ્ય હતા. અને હાલ પણ તેઓ કોંગ્રેસ પાર્ટીના નેતા હોય ત્યારે પરબતભાઇ ઉર્ફે કીશોરભાઇ દેવશીભાઇ વસરા રહે રીંજપર ગામ તા.લાલપુર જી.જામનગર રીંજપર ગામની તાલુકા પંચાયતની સીટ ઉપરથી ચુંટણીમા કોંગ્રેસ પાર્ટીની સીટ ઉપર ચુંટાયેલ હતા, અને ફરીથી તેઓએ રીંજપર ગામની તાલુકા પંચાયતની સીટ ઉપરથી ચુંટણીમા કોંગ્રેસ પાર્ટીની ટીકીટની માંગણી કરેલ હોય, અને પરબતભાઈને એવુ લાગેલ કે આ નાથાભાઈ પોતાની માંગણી કરેલ સીટ ઉપર કોંગ્રેસ પાર્ટીના જ તેના હરીફને સમર્થન કરતા હોય, જેથી પરબતભાઈએ નાથા ગગલીયાને ફોન કરી ચુંટણી પછી તને ઘોડી પર ચાલતા કરી દેવાની ધમકી તેમજ અપશબ્દો બોલ્યા હોય આ મતલબની ફરિયાદ લાલપુર પોલીસ મથકે નોંધાઈ છે.