Mysamachar.in-જામનગર:
ગત ૨૨ માર્ચના જનતા કર્ફ્યુ બાદ જુદા જુદા ત્રણ તબક્કાના લોકડાઉનથી નગરમાં સેમી કર્ફ્યુ જેવી સ્થિતિથી નગર જાણે થંભી ગયુ હતુ આ લોકડાઉનથી અકળાયેલા લોકો અને વાહન ચાલકો મહદઅંશે તંત્રના વ્યાપક પ્રતિબંધ થી ઘરમાં જ પુરાયેલા રહ્યા હતા અને લોકડાઉન ૪ ના તબક્કામાં મોટાભાગની છુટછાટ મળતા લાંબા સમયથી ઘરમાં રહેલા વાહન ચાલકો આજે સવારથી જ બહાર નીકળવા લાગ્યા અને રાજમાર્ગો ઉપર વાહનોના ધમધમાટના આ દ્રશ્યો શહેરના વિવિધ માર્ગો ઉપર જોવા મળ્યા હતા. લોકોને વિનંતી કે બહાર ભલે નીકળો પણ નિયમોનું પાલન જરૂર કરજો, મોઢા પર માસ્ક પહેરજો, હાથ વારંવાર ધોવાની ટેવ રાખજો અને ખાસ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન પણ કરજો જેથી કોરોનાને ફેલાતો અટકાવી શકાય એ વાત યાદ રાખજો સરકારે છૂટછાટ આપી છે પણ કોરોનાનો ભય હજુ ઓસર્યો નથી.