Mysamachar.in-જામનગર :
જામનગર જીલ્લામાં 268 ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાવવા જઈ રહી છે ત્યારે આ ચુંટણીઓને લઈને જીલ્લા કલેકટર ડો.સૌરભ પારધી અને અધિક કલેકટર મિતેશ પંડ્યા દ્વારા આ ચુંટણીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરિપૂર્ણ થાય તે માટે કેટલાક આદેશો જાહેર કર્યા છે.જેમાં..
-દિવસ-7માં પોતાના હથિયાર પરવાનાઓ જમા કરાવી જવા અંગેનુ જાહેરનામુ
જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે તે મહેસુલી હદ વિસ્તારમાં આત્મરક્ષણના તથા પાકરક્ષણના તમામ પરવાનેદારો(અપવાદ સિવાયના)એ તેમના હથિયાર પરવાનાઓ દિવસ-7 માં સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી તે અંગેની પહોંચ મેળવી લેવા (પોલીસ સ્ટેશન તરફથી સુચના મળવાની રાહ જોયા વિના આ હુકમને સુચના ગણી હથિયારો જમા કરાવી દેવાના રહેશે) ડો.સૌરભ પારઘી, જીલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર, શસ્ત્ર અધિનિયમ-1959ની કલમ22(1)(ખ) તળે તેમને મળેલ સત્તાની રૂએ જાહેરનામુ બહાર પાડેલ છે.આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શસ્ત્ર અધિનિયમ-1959ની કલમ-30 તથા ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ-188 મુજબ સજાને પાત્ર થશે.
-રાજકીય પક્ષો અને ઉમેદવારો જોગ પ્રચાર અંગે જાહેરનામુ
જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે જે સંદર્ભે ગુજરાત રાજ્યના ચૂંટણી પંચ દ્વારા રાજકીયપક્ષો અને ઉમેદવારો માટે બહાર પાડવામાં આવેલ આચારસંહિતા મુજબ કોઇ રાજકીયપક્ષો અને ઉમેદવારો પોતાના કાર્યકરને ધ્વજદંડ ઉભા કરવા, બેનરો લટકાવવા, નોટીસો ચોંટાડવા, સુત્રો વિગેરે લખવા માટે મકાન માલીકની પરવાનગી વિના જમીન, મકાન, કમ્પાઉન્ડ, દિવાલ વિગેરેનો ઉપયોગ કરવા દેશે નહી અને જાહેર મિલ્કત ઉપર આવુ કૃત્ય કરશે નહી તેવી નીતિ નક્કી કરવામાં આવેલ છે. આથી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ મિતેશ પી. પંડ્યા, જામનગર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-37(1)(છ) તળે તેમને મળેલ સત્તાની રૂએ આચાર સંહિતાના પાલન માટે ઉક્ત નિર્દિષ્ટ કાર્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
જામનગર જીલ્લાની હદમાં કોઇપણ વ્યકિતએ તા.24/12/2021સુધી કેન્દ્ર અને રાજ્ય સરકાર, સ્થાનિક સંસ્થાઓ તેમજ જાહેર સાહસોના મકાનો (કમ્પાઉન્ડની દિવાલ સહિત) વિજળી અને ટેલીફોનના થાંભલાઓ ઉપર ચૂંટણી પ્રચારના ઇરાદાથી કોઇપણ ચૂંટણી અંગેનુ બેનર,ચિન્હો, સહિત કોઇપણ સાહિત્યનુ લખાણ અથવા ટેલીફોનના થાંભલાના આધારે અથવા કોઇપણ મકાનોના આધારે રસ્તાઓ ઉપર કોઇપણ બેનર, પોસ્ટર અથવા ચૂંટણી પ્રચાર સંબંધિત સાહિત્યનું પ્રદર્શન કરવુ નહી તેમજ કમાનો ઉભી કરવી નહી, ઉપરોક્ત જણાવેલ મકાનો સિવાયના મકાનો ઉપર (કમ્પાઉન્ડની દિવાલ સહિત) ચૂંટણી પ્રચાર સંબધિત કોઇપણ પોસ્ટર, લખાણ, ચિન્હ, મકાન માલીક/કબ્જેદારની પૂર્વ મંજુરી સિવાય ચોંટાડવુ, ચિતરવુ અથવા પ્રદર્શિત કરવુ નહી.આ જાહેરનામાનુ ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-135(1) મુજબ ઓછામાં ઓછા 4 મહીનાની અને વધુમાં વધુ 1 વર્ષની કેદની સજા થશે અને દંડની સજાને પાત્ર પણ થશે.
-મતદાન મથકોના 100 મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કરતા વધારે વ્યક્તિઓએ એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ
મતદાન મથકોની 100મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં તા.19/12/2021ના સવારના 7:00 થી સાંજના 6:00 કલાક સુધી ચાર કરતા વધારે વ્યક્તિઓની મંડળી કોઇએ ભરવી, બોલાવવી કે સરઘસ કાઢવું અને એકઠા થવા પર અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, મિતેશ પી. પંડ્યા, જામનગર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-144 હેઠળ જાહેરનામુ બહાર પાડેલ છે.
-પરવાનેદારોને હથિયારો સાથે જાહેર સ્થળોએ ફરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ
જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે આદર્શ આચાર સંહિતા લાગુ પડેલ છે. ચૂંટણી અનુસંધાને ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઇપણ રાજકીય પક્ષ કે કોઇપણ વ્યક્તિ સંસ્થા દ્વારા ચૂંટણી સંબંધી સભા, સરઘસ, રેલી કે તેવો કોઇપણ કાર્યક્રમ યોજવામાં આવે ત્યારે ચૂંટણી સંબંધી કાર્યક્રમોમાં અને જાહેર સ્થ ળોએ લોકો તેમના પરવાનાવાળા હથિયાર સાથે રાખીને એકઠા થાય કે પસાર થાય તો લોકોમાં ભયમુકત વાતાવરણ ઉભુ કરવાનો હેતુ જળવાય નહી, આથી ચૂંટણી યોજાનાર વિસ્તારમાં જાહેર સુલેહશાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરસ્થિિતિ જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેરટ મિતેશ પી. પંડ્યાએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ-144(એ) તળે તેઓને મળેલ સતાની રૂએ, આત્મરક્ષણના તથા પાકરક્ષણના તમામ પરવાનેદારો(અપવાદ સિવાયના)એ તેમના પરવાનાવાળા હથિયાર સાથે સરઘસ કાઢવા કે સભા યોજવા કે તેમાં ભાગ લેવા કે હથિયાર સાથે જાહેર સ્થાળે ફરવા ઉપર તા.24/12/2021 સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.
– મતદાન મથકોમાં ઇલેકટ્રોનિક ઉપકરણો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ
આગામી ચૂંટણી માટે નક્કી કરવામાં આવેલ મતદાન મથકોમાં મતદાન એજન્ટ, ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ તેમજ સંબંધિત મતદાન મથકના નોંધાયેલ મતદારો મોબાઇલ ફોન સાથે તા.19/12/2021ના રોજ સવારના 7:00 કલાકથી સાંજના 6:00 કલાક સુધી પ્રવેશ કરવા પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મિતેશ પી. પંડ્યા દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ-144 હેઠળ પ્રતિબંધ ફરમાવેલ છે.
-ઉમેદવારી ફોર્મ ભરવા સમયે 3 કરતા વધુ વાહનો ચુંટણી અધિકારીની કચેરીના 100 મીટર વિસ્તારમાં રાખી શકાશે નહીં
આ ચુંટણી માટે ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા સમયે તેમના ટેકેદારો અને વાહનો સાથે ચુંટણી અધિકારી/ મદદનીશ ચુંટણી અધિકારીની કચેરીમાં જશે એ માટે ચુંટણીપંચની સુચના અનુસાર ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચુંટણી અધિકારી/ મદદનીશ ચુંટણી અધિકારીની કચેરીના 100 મીટરના વિસ્તારમાં કોઈ પણ સંજોગોમાં 3 કરતા વધુ વાહનો રાખવા/હંકારવાની મંજુરી મળવાપાત્ર નથી સમગ્ર જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી-2021 અન્વયે ઉમેદવારોએ ચુંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાના વાહનો માટે સક્ષમ સતાધિકારી પાસેથી પરવાનગી મેળવી લેવાની રહેશે. તથા તેને વાહનોની વિન્ડા સ્ક્રિ ન પર બહારથી જોઈ શકાય તે રીતે પ્રદર્શિત કરવાની રહેશે, ચુંટણી પ્રચાર માટે પરવાનગી મેળવેલ વાહનોનો ચુંટણી પ્રચારના કોન્વોયમાં ઉપયોગ કરવાના કિસ્સામાં ભારતના ચુંટણીપંચની છેવટની સુચના મુજબ ઉપયોગ કરવાનો રહેશે. ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાનાર વાહનમાં જો વધારાની એસેસરીઝ ફીટ કરાવેલ હશે તો તેના માટે આર.ટી.ઓ.ની મંજૂરી રજૂ કરવાની રહેશે.
-લાઉડ સ્પીકરની મંજૂરી માટે સંબંધિત મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટને સત્તા અપાઇ
ચુંટણી દરમિયાન ઉમેદવારો તરફથી લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગીઓ ઉતાવળે માંગવામાં આવે તે સમયે પોલીસ અધિકારીઓ કોઈ ગુનાની તપાસમાં રોકાયેલા હોય, અગર કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરીમાં રોકાયેલા હોય, તેવા સમયે ઉમેદવારોને પરવાનગી મેળવવામાં સુગમતા રહે તેમ જ આચારસંહિતાનું યોગ્ય રીતે પાલન થાય તે હેતુથી જિલ્લા મેજીસ્ટ્રેટ જામનગર ડો.સૌરભ પારઘી દ્વારા ચૂંટણીના હેતુ તેમજ તે સિવાયના અન્ય તમામ હેતુ માટે માંગવામાં આવતી પરવાનગીના સંદર્ભમાં લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી આપવાના અધિકારો ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી એટલે તા.24/12/2021 સુધી ચૂંટણી પ્રચારમાં ફરતા વાહનમાં લાઉડ સ્પીકર વગાડવાની મંજુરી, ચૂંટણી સભા સરઘસમાં લાઉડ સ્પીકર વગાડવાની મંજુરી માટે સંબંધિત મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ દ્વારા પરવાનગી અંગેની પ્રક્રિયા કરવામાં આવશે તેમ આદેશ કરવામાં આવેલ છે.
અપાયેલ પરવાનગીની નકલ જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરીને, નાયબ ચૂંટણી અધિકારી, જે તે મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી તથા સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલવાની રહેશે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ લાઉડ સ્પીકર વગાડવાની મંજુરી કોઈપણ સંજોગોમાં રાત્રીના 10:00 પછી અને સવારના 6:00 વાગ્યા સુધીના સમય માટે આપી શકાશે નહીં, જેની તમામ સંબંધકર્તાઓએ નોંધ લેવી.
-સરઘસ કાઢવા કે સભા ભરવાની મંજૂરી માટે સંબંધિત મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટને અધિકૃત કરાયા
ગ્રામ પંચાયત ચૂંટણી-2021 દરમિયાન ઉમેદવારો તરફથી સભાઓ યોજવા અને સરઘસો કાઢવાની પરવાનગીઓ ઉતાવળે માંગવામાં આવે તે સમયે પોલીસ અધિકારીઓ કોઈ ગુનાની તપાસમાં રોકાયેલા હોય, અગર કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરીમાં રોકાયેલા હોય, તેવા સમયે ઉમેદવારોને પરવાનગી મેળવવામાં સુગમતા રહે તેમજ આચારસંહિતાનું યોગ્ય રીતે પાલન થાય તે હેતુથી જિલ્લા મેજીસ્ટ્રેટ જામનગર ડો.સૌરભ પારઘી દ્વારા ચૂંટણીના હેતુ તેમજ તે સિવાયના અન્ય તમામ હેતુ માટે માંગવામાં આવતી પરવાનગીના સંદર્ભમાં સભાઓ યોજવા અને સરઘસો કાઢવાની પરવાનગી આપવાના અધિકારો ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી એટલે તા.24/12/2021સુધી સંબંધિત મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ દ્વારા પરવાનગી અંગેની પ્રક્રિયા કરવા માટે અધિકૃત કરવામાં આવેલ છે.