Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના મહાવીર સોસાયટીમાં વસવાટ કરતા અને બિલ્ડર તરીકેનો કારોબાર ધરાવતા સાહિલ ધીરુભાઈ દુધાગરા નામના 32 વર્ષીય યુવા બિલ્ડરે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે, સીટી બી ડીવીઝન પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ મરણજનાર સાહિલ જે બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા હોય અને તેને હમણા ઘણા સમયથી કામ ધંધો સરખો ચાલતો ન હોય જે બાબતની ઘરે અવાર નવાર ચિંતા કરતા હોય જેથી પોતે પોતાની જાતે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જિંદગી ટુકાવી હોવાની જાણ પોલીસને થતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.