Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લામાં તસ્કરોને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ બે મકાનોને નિશાન બનાવી અને લાખોની મતા ઉસેડી ગયાની બે અલગ અલગ પોલીસ ફરિયાદ દાખલ થઇ છે, જામનગર નજીક આવેલ રિલાયન્સ ટાઉનશીપમાં આવેલ એક મકાન જયારે વંથલી ગામેં આવેલ એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યાની પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. જામનગર રીલાયન્સ કંપની રિલાયન્સ ગ્રીન્સ ટાઉનશીપમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે, જેની વિગત મુજબ, ગ્રીન ટાઉનશીપ સેક્ટર 16 બ્લોક નં 3–બીમાં રહેતા પ્રફુલાબેન અશોકભાઈ રામજીભાઈ નકુમના ગત તા.10/2/2022ના રાત્રે અગિયાર વાગ્યાથી સવાર સુધીના સમયગાળા દરમિયાન બંધ રહેલ મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. રહેણાંક ઘરના મેઈન દરવાજાનો નકુચો તોડી બેડરૂમમાં પ્રવેશેલ તસ્કરોએ લોખંડના કબાટનો દરવાજા તથા લોક તોડી નાખી અંદરથી રૂપિયા 5,91,200 ની કીમતના 20 તોલા દાગીના, રૂપિયા 7500 ની કીમતના ચાંદીના દાગીના તથા રોકડા રૂ. 20,000 અને રૂપિયા બે હજારની એક સ્માર્ટ વોચ મળી કુલ રૂ.6,16,700 ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયા હતા. બનાવ અંગે મેઘપર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને વિશેષ તપાસ હાથ ધરી હતી,
આ થઇ ચોરીના એક બનાવની વાત જયારે ચોરીની અન્ય ઘટનામાં જામનગર તાલુકાના વંથલી ગામે કલ્પેશ શશીકાંત ટંકારીયાના વંથલી ગામે આવેલ જૈન દેરાસરની બાજુમાં આવેલ પોતાના રહેણાક મકાનના મુખ્ય દરવાજે તાળુ મારી લગ્ન પ્રસંગમાં ગયેલ હતા તે દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમે રહેણાક મકાનમાં કોઇ પણ રીતે રાત્રીના અથવા દિવસે પ્રવેશ કરી મકાનના રૂમમાં રાખેલ લોખંડના કબાટનો દરવાજો કોઇ સાધન વડે બળ પુર્વક ખોલી કબાટમાં બે અલગ-અલગ ડબ્બામાં રાખેલ કુલ રોકડ બે લાખ પાચ હજારની ચોરી કરી જતા પોલીસ દોડતી થઇ છે.