Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
બસ હમણાં જેની રાહ જીલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચુંટણીઓ આવી જશે…પણ આ વખતે મતદારો ખાસ કરીને વધુ જાગૃત બન્યા હોય આ વખતે દરેક પાસાઓનો વિચાર કરી મતદાનની ફરજ નિભાવશે… તેમાં પણ જામનગરથી અલગ થયેલ દ્વારકા જીલ્લો તો વિકાસ ઝંખી રહ્યો છે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર સલાયા દ્વારકા રૂપેણ ડાલડા સહિત અનેક બંદરો પહેલા ધમધમતા ત્યારે બંદરીય વિસ્તારની વસ્તીને કામ ધંધો હતા તેમજ એ જ લોકોના ધંધા વેપાર ખર્ચ ખરીદીઓ લગત ગામોમા રહેતી હોઇ ત્યા પણ કરંટ રહેતો અને એક ચક્ર ચાલતુ પરંતુ હાલ તમામ સ્થળે બંદરીય વિકાસ ખાસ કઇ નથી સુવિધા અને ધંધા વગરનુ વાતાવરણ છે ઉપરથી માછીમારી વ્યવસાયમા પણ હમણાથી ઓટ છે જેથી બીજા પણ બંદર લગત ધંધા ઠપ્પ છે જેથી બેકારી બેરોજગારી વધે છે.
તો દ્વારકા જિલ્લામા વિચીત્ર બાબત એ છે કે મોટા ઉદ્યોગો છે પરંતુ તેમાથી ગ્રામજનોને પુરતી રોજગારી મળતી નથી તેમજ મધ્યમ અને નાના ઉદ્યોગો જામનગર જિલ્લાના પ્રમાણમા સાવ નહિવત છે તેમજ મોટા વેપાર ધંધા માર્કેટો પણ નથી અને એકંદર ઇકોનોમી ની ગતિ નથી જે દરેક સમશ્યાઓ ઉભી કરે છે. તો દ્વારકા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમા સુરક્ષા માટે સહિતના દરેક સરકારી વિભાગોની નિષ્ક્રીયતાથી એક તરફ લોકોને અસલામતીનો ભય વધુ છે તેમજ વારંવાર ધાક ધમકી દબાણ શોષણ અથડામણ વગેરે બન્યા જ કરે છે અને બળુકા રાજ કરે છે તેમજ સરકારી બીજા વિભાગો લોકોને પરવાના સહાય યોજના વગેરે લાભો આપવામા પણ પુરતી રૂચી દાખવતા નથી એટલુ જ નહી માત્ર જુજ વિસ્તારોને બાદ કરતા આગેવાનો પણ સંતુલીત કામ થાય સંતુલીત પ્રગતિ થાય સંતુલીત વિકાસ થાય તેવુ વ્યાપક આયોજન પણ કરતા નથી તેમ વિશ્લેશકો કહે છે
તેવી જ રીતે મોટો પ્રશ્નો સ્વચ્છતાનો છે સ્વચ્છતા અભિયાન ભારતમા ચાલે છે પરંતુ આ જિલ્લામા વ્યાપક ન હોઇ તેના કારણે અનેક પ્રશ્ર્નો ઘર્ષણો ઝઘડા જમીન પાણીના બગાડ રોગચાળા બધુ જ વધે છે તેમ પણ અભિપ્રાયો મળ્યા છે. દ્વારકા જિલ્લાના પોણા ત્રણસો જેટલા ગામડાઓ છે જેમા અમુક પંથકમાં ખેતી અને તળના પ્રશ્નો છે તેવીજ રીતે તાલુકા મથકના વિસ્તારો માથી અમુકમા આ પ્રશ્ર્નો છે તેમજ ગામડેથી મથકે આવ્યાનો સંતોષ થાય તેવી માર્કેટો સમૃદ્ધીઓ શાળા કોલેજો હોસ્પીટલો કચેરીઓ વગેરેની પુરતી અને સંતોષકારક સુવિધાઓ જોઇએ તેટલી વિકસી નથી તો તાલુકા મથક ખુદ ડ્રેનેજ પાણી રોડ આરોગ્ય શિક્ષણના પ્રશ્ર્નોમા અટવાયેલુ છે.
– સ્થાનિક આગેવાનો પણ સક્રિય નહ-ઉમેદવારી માટે પણ નિષ્ક્રીયતા
દ્વારકા જિલ્લાની વિચિત્રતા કેવી છે કે સ્થાનિક આગેવાનો અને જિલ્લા કક્ષાના આગેવાનો ચોક્કસ વિસ્તાર અને ચોક્કસ ક્ષેત્રના વિકાસ સિવાય દરેક ગ્રામ્ય વિસ્તારમા વિકાસ થાય તે માટે જાત મુલાકાત લોકસંપર્ક બાદમા રજુઆત વગેરે ખાસ નોંધપાત્ર પ્રમાણમા કરતા નથી અને આશ્ચર્ય એ પણ છે કે સો એ સો ટકા પંચાયત વિસ્તારોમાથી ઉમળકાથી દાવેદારો ઉભરી આવે તેવી સ્થિતિ પણ નથી સમગ્ર પણે સુસ્તી છવાયેલા જેવા આ જિલ્લાના ગામડા હજુ સુવિધાની આગેવાનોની કામોની વિકાસની પ્રગતિની રાહ જુએ છે તેમને ચુંટણીથી કઇ લાભ કે નુકસાન તે પણ નક્કી થતુ નથી તેવુ તારણ અમુક જાણકારો એ કાઢ્યુ છે.