Mysamachar.in-ગુજરાત
આજે જયારે રાજ્યના ચુંટણી આયોગ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચુંટણીઓની જાહેરાત કરી દેવામાં આવી છે, ત્યારે બન્ને મુખ્ય પક્ષો સહિતના પક્ષો, અપક્ષો પૂરું જોમ લગાવીને ચુંટણી જીતવાના પ્રયાસો કરશે, ત્યારે 2021માં યોજાઈ રહેલી આ ચુંટણી આગામી વર્ષે એટલે કે 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં મહત્વની ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, અને તેના પરથી દરેક પક્ષો, ઉમેદવારો અને નેતાઓનું પાણી મપાઈ જશે.
તો ગત વખતે એટલે કે 2015મા જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ હતી ત્યારે રાજ્યમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીના આંદોલનની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જોવા મળી હતી, જેના પરિણામે રાજ્યમાં છેલ્લા બે દાયકાથી શાસન કરતી ભારતીય જનતા પાર્ટીને અનેક જગ્યાએ હારનો સામનો કરવો પડ્યો હતો. તો મોટાભાગની જીલ્લા પંચાયતો પણ ભાજપે ગુમાવવી પડી હતી, તો સામે પક્ષે કૉંગ્રેસને આ આંદોલનનો સીધો જ ફાયદો થયો હતો.
પરંતુ 2015ની ચુંટણી બાદ સમયાંતરે એમ કુલ મળી ગુજરાતનું રાજકીય વાતાવરણ બદલાયું છે. વર્ષે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં ફરી 26માંથી 26 બેઠકો પર જીત મેળવી હતી. ત્યારબાદ યોજાયેલી પેટા ચૂંટણીઓમાં પણ ભાજપનો વિજય થયો હતો. સામા પક્ષે કૉંગ્રેસ પોતે જીતેલી બેઠકો પણ સાચવી શકી ન હતી.આમ હવે યોજાવવા જઈ રહેલ સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં મતદાતાઓની પસંદ ક્યાં ઉમેદવાર અને પક્ષ પર ઉતરશે તે પરિણામો જ સ્પષ્ટ કરી શકશે.