Mysamachar.in-અમદાવાદ
ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો સહીત લોકો ચિંતાતૂર બન્યા છે. ત્યારે રાજ્યમાં વરસાદને લઈને થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 17 ઓગસ્ટ બાદ ગુજરાતમાં ફરી મેઘરાજાની પધરામણી થશે. હવામાન વિભાગ અનુસાર 17 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થશે. જે તબક્કાવાર ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે. જો કે, 17 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી. છૂટોછવાયો વરસાદ વરસતો રહેશે.
સ્વાભાવિક જ શરૂઆત સારી થયા બાદ વરસાદ ખેંચાતા સૌ કોઈની ચિંતા વધી છે. રાજ્યમાં અત્યાર સુધી 36.39% વરસાદ થયો છે. ગયા વર્ષે 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં 58% વરસાદ થયો હતો. જેની સરખામણીએ 22% ઓછો વરસાદ છે. અત્યાર સુધી રાજ્યમાં 19 ઇંચ વરસાદ થવો જોઈતો હતો જેને બદલે માત્ર 10 ઇંચ થયો. જે 46 ટકાની ઘટ દર્શાવે છે. તમામ 33 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ હોવાનું ચિંતાજનક છે.