Mysamachar.in-જામનગર:
જામનગરમાં વસવાટ કરતા ઈન્ડીયન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર પ્લેયર રવિન્દ્રસિંહ જાડેજા અને તેમના પત્ની રીવાબા જાડેજા દ્વારા તેમની પુત્રીના જન્મદિવસની અનોખી ઉજવણી કરી અને સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે, ગતરોજ નિધ્યાનાબાનાં પાંચમા જન્મદિવસ નિમિતે સમાજ સેવાનાં નવતર પ્રયાસ રૂપે સર્વે જ્ઞાતિના 101 દીકરીઓના પોસ્ટ ઓફિસ જામનગરમાં સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવેલ અને રૂ.11000 એક ખાતા દીઠ ડીપોઝીટ કરાવેલ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીનાં કાર્યકાળનાં આઠ વર્ષ પુર્ણ થયેલ અને તેમનાં “સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધ દેશ” નાં ઉમદા સ્વપ્ન અને પ્રેરણાથી નિધ્યાનાબા ના જન્મદિવસની વિશિષ્ટ ઉજવણીનાં ભાગ રૂપે સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી ભારતના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પુત્રીના આજે બર્થ ડે નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને રિવાબા જાડેજા દ્વારા સુકન્યા સમૃદ્ધિ પોજના હેઠળ પ્રત્યેક 101 દીકરીઓ માટે રૂા.11 હજારનું પ્રિમિયમ ભરવામાં આવ્યું હતું. જેનો સરવાળો રૂ।.11,11,000 થાય છે. આ રીતે ક્રિકેટરના સુપુત્રીના જન્મ દિવસ નિમિત્તે 101 દીકરીઓનું કલ્યાણ થયું છે.જે બાદ સાંજે જામનગર નજીક આવે હોટેલ ખાતે જાડેજા દંપતી દ્વારા જે દીકરીઓના ખાતાઓ પોસ્ટ ઓફિસમાં ખોલાવવામાં આવ્યા તે તમામ સાથે એક ઉજવણી પણ કરવામાં આવી હતી.