Mysamachar.in-જામનગર
જામનગર વીજવિભાગના બહુચર્ચિત વીજકૌભાંડની તપાસમાં છેક રાજકોટથી ટીમોએ આવવુ પડ્યુ છે કેમ કે ઉદ્યોગનગર સબડીવીઝન હેઠળના વિસ્તારોમાં રહેણાકમાં ઔદ્યોગીક વીજજોડાણ આપવાના મામલે સર્કલ કક્ષાની તપાસ નબળી રહી હોવાની અને ભેજ લાગ્યાની ચર્ચાઓ વચ્ચે હવે સઘન તપાસ થઇ રહી છે, પીજીવીસીએલ જામનગરમાં હેતુ ફેરના થયેલા અંદાજે કરોડોના ભ્રષ્ટાચારની તપાસમાં રાજકોટ કોર્પોરેટ ઓફીસથી ટીમ આવી છે. હાલ આ તપાસ પ્રાથમીક લેવલે છે અને તપાસ પૂર્ણ થયા બાદ દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવુ પીજીવીસીએલ વર્તુળ કચેરીમાંથી જાણવા મળે છે દરેડ જીઆઇડીસી ફેસ-2 અને ફેસ-3માં કારખાનામાં હેતુફેર કરી વીજ જોડાણોમાં કરોડોનો ભ્રષ્ટાચાર આર્ચયાની વિગતો ઉજાગર થયા બાદ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો હતો.
અને શરૂઆતમાં પીજીવીસીએલ સર્કલના અધિક્ષક ઇજનેરે પણ આ અંગે આકરૂ વલણ અપનાવ્યું હતુ પરંતુ તપાસ નક્કર ન થઇ હોય કે ગમે તે કારણ હોય આ મામલે રાજકોટની ટીમે જામનગરમાં ધામા નાખ્યા છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે, જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીમાંથી જાણવા મળ્યા મુજબ અગાઉ ટીમોએ તપાસ કહેવાય તેવી કામગીરીના બદલે સર્વે ટાઇપની કામગીરી હોવાની ચર્ચા છે માટે તે સર્વે રિપોર્ટ ઉપર કોર્પોરેટ કચેરી રાજકોટને સંતોષ ન થયો હોઇ રાજકોટ થી ટીમોએ આવવુ પડ્યુ છે હવે જોવાનુ એ છે કે સમગ્ર મામલે તપાસ બાદ ઠોસ પગલા લેવાય છે કેમ?? કેટલુ કૌભાંડ થયુ તે જાહેર થાય છે કેમ??