Mysamachar.in-જામનગર
આજના સમયમાં સૌને લઇ લેવાની લાલશા છે, એવામાં ગ્રામીણ વિસ્તારોમાં વારસાઈ મળતી જમીનો માટે કેટલાય કાવાદાવા થતા હોય છે, ત્યારે આવી જ એક ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાઈ છે, જેમાં દીકરાએ પોતાના એકલાને નામે જમીન કરવા પોતાની માતા જીવિત હોવા છતાં પણ મૃત્યુ પામ્યાનું ડુપ્લીકેટ સર્ટીફીકેટ બનાવતા વારસાઈ નોંધ પાડવા સમયે સર્કલ ઓફિસરને શંકા ઉદભવતા તેને આ નોંધ નામંજૂર કરી હતી, અને તલાટી, મામલતદાર અને પ્રાંત અધિકારીને આ અંગેની જાણ કરેલ હતી, જે બાદ તપાસને અંતે માં જીવતી હોવા છતાં મરણ ગયાનું સર્ટીફીકેટ ઉભું કરનાર દીકરા સહીત 3 શખ્સો સામે અંતે ગુન્હો દાખલ થયો છે,
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નાની નાગાજર ગામે વસવાટ કરતા રામજી વિરમ ગમારા નામના વ્યક્તિએ તેમના ભાઇ, બે બહેનો તથા તેમના માતાના તથા તેમના નામે ચાલતી ખેતીની જમીનને પોતાના એકલાના નામે કરવા માટે ખોટો વારસાઇ આંબો બનાવી તેમજ ખોટા દસ્તાવેજોના આધારે વારસદારો છુપાવી તેનુ એકલાનુ વારસદાર તરીકે નામ દાખલ કરાવી વારસાઇ નોંધ નં.1673ના આ કેસના ફરિયાદી તલાટીમંત્રી નમ્રતાબેન ભટ્ટીની ખોટી સહીઓ હાથે કરી લીધા બાદ રામજી ગમારાએ પોતાના માતા રૈયાબેન જે જીવીત હોવા છતા અવસાન થયેલાનુ સરકારી ચોપડે જાહેર કરી ખોટુ મરણ પ્રમાણપત્ર કઢાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી રજુ કરેલ જેમાં કરણાભાઇ પબાભાઇ ગમારા તથા કીશોરભાઇ કરમશીભાઇ પારઘીએ રામજીના વારસદારો છુપાવવા કરેલ ખોટાપેઢિનામામાં પંચો તરીકે સહીઓ કરી ત્રણેય આરોપીઓએ એક બીજાની મદદગારી કરી ગુન્હો કર્યાનું તપાસના અંતે ફલિત થતા તલાટીમંત્રીએ ત્રણેય સામે બોગસ દસ્તાવેજ બનાવી તે બોગસ હોવાનું જાણવા છતાં પણ તેનો ઉપયોગ કર્યાની ફરિયાદ નોંધાઈ છે.