Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમા થોડાવર્ષ પૂર્વે નિર્મળ ગુજરાત અભિયાન હેઠળ ઘરે-ઘરે શૌચાલયો બનાવવવાની શરૂઆત મનપા દ્વારા કરવામાં આવી હતી, પણ શૌચાલયમાં પણ જે-તે વખતના અધિકારી, સુપરવાઈઝરો સહિત સંસ્થાઓ જેને શૌચાલય બનાવવા માટેના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા તેમાંથી અમુક શૌચાલયોમાં ગોબાચારી આચરીને એક ને એક વ્યક્તિને નામે બે શૌચાલયો બનાવી નાખ્યાનો પર્દાફાશ તો થયો જ હતો, સાથે જ આ મામલે વિપક્ષ દ્વારા પણ સ્થળ તપાસ કરીને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો, જે બાદ તાજેતરમાં જ નિવૃત થયેલા એક અધિકારી સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવી હતી, પણ અધિકારી તો તાજેતરમાં નિવૃત થઇ ગયા અને તેવોની સામેની ખાતાકીય તપાસમાં તો “વામને” ગોળ ગોળ ફીંડલું વળાવી દીધું પણ જે અધિકારી હતા તેની વિરુદ્ધ એસીબીમા થયેલ ફરિયાદ અરજી અન્વયે હાલ તપાસ ચાલી રહી છે, જે પૂર્ણ થઇ નથી જેમાં તથ્યો સામે આવે તો પૂર્વ અધિકારી સહિતનાઓ સામે પણ પગલા લેવાય શકે છે.
જામનગર શહેરમાં જ્યારથી નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત વ્યક્તિગત શૌચાલય બનાવવાની શરૂઆત થઇ ત્યારથી થઇ રહેલ કામગીરી અને કામગીરી થયા બાદ આક્ષેપોનો સ્થાનિકો દ્વારા અને વિપક્ષ દ્વારા મારો ચલાવામાં આવ્યો હતો.અને ગુણવતાયુક્ત કામના થતું હોવાના આક્ષેપો વખતો વખત થયા હતા… છતાં પણ કોઈએ આ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું જ નહોતું… નિર્મળ ગુજરાત શૌચાલય યોજના અંતર્ગત ૧૬૦૦૦ જેટલા શૌચાલયોની કામગીરી પૂર્ણની ચકાસણી રીપોર્ટ બનાવી લાભાર્થીઓના નામોની યાદી બનાવી અને અલગ અલગ એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે અધિકારીઓ એ સાંઠગાંઠ કરી અમુક શૌચાલયો જે બન્યા જ નથી તેના ખોટા બીલો બનાવી અને બિલોની ચુકવણી કરવામાં આવી છે, અહી મહત્વની બાબત તો એ છે કે રાજ્ય સરકાર દ્વારા તો શૌચાલયો અંગેની શ્રેષ્ઠ કામગીરી બદલ મનપાને થોડાસમય પૂર્વે એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.અને બાદમાં આ રીતે સમગ્ર શૌચાલય કૌભાંડ નું સામે આવવું તપાસ માંગી લેતો વિષય છે. ત્યારે એવોર્ડ આપનાર તપાસ કરાવે તો ખ્યાલ આવશે ખરેખર શું થયું છે.