Mysamachar.in-જામનગર:
જામનગર નજીક લાલપુર બાયપાસથી ખંભાળિયા બાયપાસ તરફ જતા રસ્તા પર થયેલ લુંટનો ભેદ ઉકેલવામાં એલસીબી જામનગરને સફળતા મળી છે, કીરીટભાઈ પ્રેમજીભાઈ ચુડાસમા નામના ફરિયાદી જેવો ગુલાબનગરમાં વસવાટ કરે છે તે જામનગર ખંભાળિયા બાયપાસ પાસેથી પોતાના મોટરસાઈકલ પર આવી રહ્યા હતા ત્રણ અજાણ્યા શખ્સોએ અગાઉથી પ્લાન બનાવી બે આરોપીઓ એકટીવા કે એક્સેસ જેવા મોપેડ પર આવી ફરીયાદીના બાઈક સાથે પાછળ ભટકાડી ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી મોઢા ઉપર મુંઢ માર મારેલ જે વખતે પાછળથી અજાણ્યા આરોપી આવી ફરીયાદીના મોઢા ઉપર રૂમાલ રાખી રોડ નીચે ઢસડી લઈ જઈ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી ફરીયાદીના ખીસ્સામાથી રોકડા રૂપીયા 14,000 તથા એક મોબાઈલ ફોન કી.રૂ.14000 ની મળી કુલ રૂપીયા 28,000 ની લુંટ કરી નાસી ગયાની ફરિયાદ પરથી પોલીસની ટીમો આરોપીઓને શોધવા કામે લાગી હતી જેમાં જામનગર સ્થાનિક ગુન્હા શોધક શાખાને સફળતા મળી છે અને ત્રણ આરોપીઓ ઝડપાઈ ચુક્યા છે,
આ ગુન્હાનો ભેદ ઉકેલવા અલગ અલગ ટીમો બનાવી સ્થળ મુલાકાત લઇ બનાવ વાળી જગ્યા આજુબાજુ તથા સેડ ઉપરના સીસટીવી ફુટેજ ચેક કરી જરૂરી વર્ક આઉટ કરવામાં આવેલ તેમજ ટેકનીકલ સર્વેલન્સ દ્વારા તપાસ કરવામાં આવેલ એલ.સી.બી.ના હરદિપભાઇ ધાંધલ, શીવભદ્રસિંહ જાડેજાને હકિકત મળેલ કે,ફરીયાદી કિરીટભાઇ પ્રેમજીભાઇ ચુડાસમાને મુઢ મારી મારી રોકડ તથા મોબાઇલ ફોનની લૂંટના ગુનામા આરોપી ઇન્દ્રજીતસિંહ ભીખુભા ગોહિલ, ધ્રુવરાજસિહ જાડેજા તથા વિશ્વરાજસિંહ જાડેજા રહે બધા જામનગર વાળા સડોવાયેલ છે, તેવી હકીકત ખરાઈ કરી ત્રણેયને લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી એસ.એસ.નિનામાંના માર્ગદર્શન મુજબ પીએસઆઈ કે કે.ગોહીલ, આર.બી. ગોજીયા, બી.એમ.દેવમુરારી, તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.