Mysamachar.in-જામનગર
ગરીબો તેમજ નિમ્મ મધ્યમ તેમજ મધ્યમ વર્ગ માટે રેશનકાર્ડ ઉપર અનાજ વગેરે મળવાપાત્ર છે પરંતુ અમુક રેશનીંગવોર્ડની સકારણ અનિયમિતતાઓ તેમજ ઘોર બેદરકારીના કારણે અનાજ લાવી ખોરાક બનાવાની રાહ જોતા પરિવારો ત્રાસી ગયા છે તેવી સ્થિતિ સર્જાય છે અને આવા ત્રસ્ત લોકોની ફરિયાદ સાંભળવાવાળુ કોઇ નથી કેમકે અમુક વોર્ડધારકો પોતાને જ કઇક સમજે છે અને મનફાવે તેમ વર્તે છે કેમકે સરકારી લગત વિભાગ નિયમિત ચેકીંગ કરતુ ન હોય આવા તત્વો બેફામ બની ગયા છે,
mysamachar.in દ્વારા આવી ગેરરિતીનો પર્દાફાશ કરી ગરીબોને નિયમિત અનાજ વગેરેનો વોર્ડમાંથી નિયમિત જથ્થો મળે તે માટેની કાર્યવાહી કરવા હજુ તો ઝુંબેશ શરૂ કરાઇ ત્યા જ અનેક ગંભીર ફરિયાદો મળી છે, અને અનેક પરિવારોને અમુક મહિના સુધી સસ્તા અનાજ મળ્યુ જ નથી તો અમુકને ઓછુ મળ્યુ છે અમુક ધક્કા ખાય છે વગેરે અનેક ફરિયાદ મળી છે, ઘર માટે સસ્તુ અનાજ ન મળે તો હાલત શુ થાય તે કલ્પના જ કંપાવી દેનાર હોવા છતા ગુજરાતમા સંવેદનશીલ સરકાર છે તેના બાબુઓ શા માટે આ વ્યાપક અને ગંભીર મુદે નબળા વર્ગનુ હિત જોતા નથી?? તેનુ કારણ શુ છે?? તેવા શંકાસ્પદ સવાલો જાણકારોમા ઉઠ્યા છે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી ગરીબોને અનાજ આપવા માટે મહત્વની જાહેરાતો કરે છે પરંતુ જાનગરમા સો ટકા ગરીબોને આ લાભ મળતા નથી તે અંગેની અનેક ફરિયાદ ઉઠે છે છતા ય શું જિલ્લા પુરવઠા તંત્રને “ગરીબ ગ્રાહકો” કરતા “રેશન વોર્ડધારકો” વધુ વ્હાલા છે કે શું?તેવા આક્ષેપ થઇ રહ્યા છે,
બીજી તરફ જે અનેક ફરિયાદો ઉઠે છે.તેમાથી અમુક જોઇએ તો…અમુક વોર્ડમા ગ્રાહકોને ઓછો માલ મળે છે…વોર્ડ સમયસર ખુલતા નથી…અમુક વોર્ડ તો અમુક દિવસો સુધી ખુલતા નથી..વોર્ડમા ગ્રાહકો સાથે જેવુ તેવુ વર્તન થાય છે….અમુકમાંથી વહેલી સવારે કે રાત્રે માલ પગ કરી જાય છે (અમુકે આવુ નજરે જોયુ પણ છે)….અમુક વોર્ડમા જેના નામે પરવાનો હોય તેના બદલે બીજા સંચાલન કરે છે….અમુક વોર્ડ આ દરેક ખાદ્યચીજ હોય તેની સરખી જાળવણીની વ્યવસ્થા અને સ્વચ્છતા નથી..અમુક વોર્ડધારકો એમ કહે છે કે ઉપરથી માલ નથી આવ્યો…અમુક એમ કહે છે કે માલ ઓછો આવ્યો છે..અનેક સ્થળોએ સ્ટોકની વિગત દર્શાવતા કે ભાવ કે મળવાપાત્ર જથ્થાની વિગતોના બોર્ડ રખાયા નથી…અમુક મર્જ થયેલા વોર્ડ ધારકો પુરતી સેવા આપતા નથી…..દરેકના તોલમાપ ટકોરાબંધ નથી.. અમુક વોર્ડધારક પુરા જવાબ પણ આપતા નથી…અમુક વોર્ડમા ગ્રાહકો માટે પુરતી સવલત નથી……અમુક વોર્ડના સમય લખેલા નથી….વગેરે સંખ્યબંધ બાબતો સામે આવી છે,
હજુ તો તપાસ શરૂ કરી ત્યા જ નાગેશ્વર વિસ્તાર, નદીપા વિસ્તાર, ગ્રેઇનમાર્કેટ નજીકનો વિસ્તાર ત્રણબતીથી બેડીગેઇટ તરફના વિસ્તાર વગેરે વિસ્તારોના કેટલાક રેશનીંગ વોર્ડની ઘણી અનિયમિતતાઓ સામે આવી છે, જેના ગરીબોના હિતમા ઉકેલ લાવવા જરૂરી છે જો કે આ મામલે વ્યાપક તપાસ વિભાગ દ્વારા કરવામાં આવે તો અનેક ચોંકાવનારી વધુ બાબતો ખુલશે અને અનેક પર્દાફાશ થવાની તેમજ સાંઠગાંઠ ખુલવાની શક્યતાઓ છે,તેમજ આ અંગેની ગંભીર ફરિયાદો હજુ વધુ મળવાની શક્યતાઓ લાગે છે.
– ના ભૂલાય કે ધ્રોલમાં બોગસ અંગુઠાથી અનાજ બરોબર પગ કરી જતું હતું
આવી ગેરરીતિઓ થઇ રહી હોય તેવી વાતને એટલે સમર્થન પણ મળી શકે કારણ કે તાજેતરમાં જ છેક અમદાવાદ સાયબર સેલની ટીમ દ્વારા રાજ્યવ્યાપી જે કૌભાંડ સામે આવ્યું તેના મુળિયા જામનગર જીલ્લાના ધ્રોલમાં પણ નીકળ્યા હતા, અને બે સસ્તા અનાજના દુકાનદારો ઝપટે ચઢી ગયા હતા, અને બોગસ અંગુઠાથી અનાજ સગેવગે કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું, પણ જામનગર શહેર અને જીલ્લાના અન્ય તાલુકાઓમાં પણ આવું કે એના સાથે મળતું કૌભાંડ ચાલી રહ્યું છે તેવું કઈક ચર્ચાઓમાં સંભળાય છે, માટે તપાસ થવી કાર્ડધારકોના હિતમાં જરૂરી છે.