Mysamachar.in-જામનગર:
જામનગર ખંભાળિયા હાઈવે ચાર દિવસ પૂર્વે ઝાખર ગામ નજીક અવાવરું જગ્યામાંથી પોલીસને એક યુવતીની હત્યા કરેલ લાશ મળી આવી હતી, લાશ વણ ઓળખાયેલ હોય અને શા માટે આ હત્યા નિપજાવવામાં આવી તે સમયે તો પોલીસ માટે પણ પેચીદું હતું, પરંતુ મેઘપર પડાણા પીએસઆઈ કે.આર.સિસોદીયા સહીતની ટીમ આ વણઉકેલાયલ ગુન્હાને ઉકેલવા માટે મથામણ કરી રહી હતી જેમાં આખરે પોલીસ ટીમોને સફળતા સાપડી છે, અને યુવતીની હત્યા તેના જ પ્રેમીએ મારી નહિ તો કોઈની નહિ તેવા કારણોસર કરી હોવાનુ ખુલવા પામ્યું છે,
ગત તારીખ ૧૪ ના રોજ રાત્રિના સમયે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં એક અજાણી સ્ત્રીની લાશ અવાવરૂ જગ્યામાં પડેલ હોવાની જાણ થતાં સ્થળ પર સ્થાનીક પીએસઆઈ સિસોદીયા સહિતની ટીમ તપાસ અર્થે પહોચી જે તપાસ કરતા મર્ડરનો પ્રાથમિક દ્રષ્ટિએ જ હત્યાનો બનાવ હોય જેથી મેઘપર પોલીસ મથક ખાતે હત્યાની કલમ હેઠળ અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ અને ગુનાની તપાસ પડાણા પી.એસ.આઈ. કે.આર. સિસોદિયાએ સંભાળેલ વધુમાં ગુનાની ગંભીરતા પારખી જામનગર જિલ્લા પોલીસ અધીક્ષક દીપન ભદ્રન દ્વારા જામનગર એલ.સી.બી, એસ.ઓ.જી, મેઘપર, લાલપુર, સિક્કા, પંચ બી પોલીસની અલગ અલગ ટીમો બનાવી ગુન્હો ડિટેક્ટ કરવા કામે લગાડી નાયબ પોલીસ અધિક્ષક કુણાલ દેસાઈના માર્ગદર્શન પ્રમાણે અલગ-અલગ સોશિયલ મીડિયામાં અને ન્યુઝ પેપરોમાં મરણ જનારની તસવીરો પ્રસિદ્ધ કરાવવામાં આવેલ અને મરણ જનારની ઓળખ કરવા પ્રયત્નો કરેલ,જે દરમિયાન મૃતક યુવતી જે સ્વામીનારાયણ કોવીડ હોસ્પીટલમાં નર્સ તરીકે કામ કરતી હોવાનો એક ફોન પીએસઆઈ સિસોદીયાને મળતા જ હત્યા કેસની કડીઓ ખુલવા લાગી હતી,
જ બાદ અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ, સી.સી.ટી.વી, તેમજ ટેકનોલોજીની મદદ લઇ ગુન્હો ઉકેલવા પ્રયાસો આરંભેલ આ દરમિયાન મરણ જનાર સ્ત્રી સીમાબેન કાનાભાઈ પાંડાવદરા રહે, સુર્યાવદર કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકાવાળી હાલે સ્વામિનારાયણ હોસ્પિટલ જામનગર ખાતે નર્સિંગ સ્ટાફ નોકરી કરતી હોવાની વિગતો તપાસમાં ખુલેલ જેથી બનાવ અંગે મરણ જનાર સાથેના સંપર્કો શોધવા આગળ તપાસ કરતા મરણ જનાર સાથે વધુ સંપર્કમાં નાગેશ ઉર્ફે નક્શ મનુભાઈ વેગડા રહે મીઠાપુર વાળો હોવાનું તપાસમાં ખુલવા પામેલ અને આ શખ્સે જ ગુનાને અંજામ આપ્યાની શંકાના આધારે….
મેઘપર પોલીસ દ્વારા તપાસ અર્થે મીઠાપુર ખાતે જઇ મીઠાપુર પોલીસની મદદ લઇ ચોક્કસ બાતમી આધારે નાગેશ ઉર્ફે નક્ષ મનુભાઈ વેગડા રહે મીઠાપુરવાળાને સુરજકરાડી રોડ ઉપર રોકી ગુન્હા અંગે યૂક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં પોતે ભાંગી પડી પોતે મરણ જનાર સીમાબેનના ભાઈનો સાળો થતો હોય અને છેલ્લા દોઢેક વર્ષથી મરણ જનારના સાથે પ્રેમ સંબંધમાં હોવાનું મરણ જનાર સીમા સાથે લગ્ન કરવા માંગતો હતો પણ બન્નેના સબંધો વચ્ચે સીમા કોઈ સાથે વાતચીત કરતી હોવાનું નાગેશને ધ્યાને આવી જતા તેને સીમાને સમજાવી હતી પણ તે માની ના હતી અને મરણ જનાર બીજા વ્યક્તિ સાથે વાત કરતી હોય જે અંગે બંને વચ્ચે ઝઘડો થતાં તેનું મનદુખ રાખી તેણીની હત્યાને અંજામ આપ્યાની કબૂલાત આપી દીધી છે, આમ જામનગર પોલીસે ફરી એકવાર ઉત્તમ ટીમનું ઉદાહરણ પૂરું પાડેલ છે.અને અનડીટેકટ જેવા ગુન્હાને પણ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે.
-હત્યાના દિવસે શું થયું હતું..
આ કેસની તપાસ કરતી પોલીસને જાણવા મળ્યું છે કે છોકરી નર્સિંગનો અભ્યાસ કરતી હતો આરોપી દસમાં ધોરણમાં નાપાસ થયેલ હતો, આ બનાવના દિવસે બન્ને એક જ બાઈક પર ફરવા નીકળ્યા હતા, જેમાં પહેલા જામનગર આવ્યા પણ જામનગર બંધ હતું જેથી ખંભાળિયા ગયા હતા, જયારે ખંભાળિયા ગયા ત્યારે મરણજનાર સીમાના ફોનમાં અન્ય યુવકના ફોન અને મેસેજ સતત આવી રહ્યા હતા, અને તે વાતને લઈને બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી જે બાદ આરોપી પ્રેમીએ મરણજનાર પ્રેમિકાને કહ્યું કે ચાલ તને જામનગર મૂકી જાવ..અને રસ્તે આવી રહ્યા હતા તે દરમીયાન મરણ જનાર સીમાએ આરોપીને બે થી ત્રણ વાર કહેલ કે હું તો મારા લેવલનું શોધી લઈશ આ વાત આરોપી પ્રેમી નાગેશના મનમાં ઘુસી ગઈ અને તું મારી નહિ તો કોઈની નહિ તેમ તેણે સીમાની હત્યા કરવાનું નક્કી કરી લીધું અને જતા સમયે તે રસ્ત્તામાં પોતાની જ પ્રેમિકાને ક્યાં મોતને ઘાટ ઉતારવી તે જગ્યા શોધતો હતો અને અંતે ઝાખર ગામ નજીક હત્યા નીપજાવવ લાયક જગ્યા મળી જતા આરોપી નાગેશે પોતાની પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.