Mysamachar.in-ગુજરાત
રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી હતી કે તારીખ 10 અને 11 એમ બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, આ આગાહી સાચી ઠરી હોય તેમ ગઈકાલથી જ લાગી રહ્યું છે, અને રાજ્યના કેટલાય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી હતી મહદઅંશે સાચી ઠરી રહી હોય તેમ લાગે છે, ગઈકાલે સાંજથી પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, અરવલ્લીના વાતાવરણમાં પલટો આવતા આજે વરસાદ જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા શુક્રવારે રાજ્યમાં અનેક ઠેકાણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. મોડી રાત્રે ગોધરા,હાલોલ અને શહેરા પંથકમાં કમોસમી માવઠું કમોસમી માવઠું થતાં જ બેવડી ઋતુનો થયો અહેસાસ ખેડૂતોમાં ઘાસ પલળી જવા અને તુવેરના પાકમાં જીવાત પડવાની ભીતિ સેવાઈ રહી છે. છોટા ઉદેપુર જીલ્લાના કેટલાક વિસ્તારોમા વાતાવરણમાં પલટો, હવામાન ખાતાની આગાહી મુજબ ધીમીધારે વરસાદી વાતાવરણ, બોડેલી,કોસિન્દ્રા, કલારાણી સહીતના વિસ્તારો મા ઝરમર ઝરમર વરસાદ, વધારે વરસાદ વરસતા કપાસ, તુવેરના પાકને નુકસાન, જીલ્લામા વરસાદી માહોલ બનતા જગતનો તાત ચિંતામાં મુકાયા હતા.
તો આ તરફ ગીરસોમનાથ કમોસમી વરસાદ વરસ્યો. કમોસમી વરસાદ વરસતા ખેડૂતો બન્યા ચિંતિત ધોરાજી તથા આસપાસ ના વિસ્તારમાં રાત્રિ ના સમયે ફરી કમોસમી વરસાદ વરસ્યો. કમોસમી વરસાદ ના કારણે જીરું, ધાણા, ઘઉં, ડુંગરી, લસણ, જુવાર સહિતના રવિ પાકોને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, આમ રાજ્યના કેટલાય જીલ્લાઓ અને તાલુકા મથકો સુધી કમોસમી વરસાદ વરસતા અને આજે પણ આગાહી હોવાથી ખેતીના પાકોને વ્યાપક નુકશાની થવાની જાણકારો શંકા સેવી રહ્યા છે.