Mysamachar.in-જામનગર
જામનગર પેરોલ ફર્લો સ્કવોડમાં છેલ્લા કેટલાક સમયથી નવી ઉર્જાનો સંચાર થયો હોય તેમ આ સ્કવોડ દ્વારા ગુન્હેગારો પર તવાઈ બોલાવવાની શરુઆત કરવામાં આવી છે, એવામાં આ સ્કવોડને વધુ એક સફળતા મળી છે, પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઈ એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો ફરારી નાસતા ફરતા ગુન્હેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.જે દરમિયાન એક હકીકત મળતા તેર વર્ષ પૂર્વેના એક ગુન્હાનો આરોપી વર્ષો બાદ ઝડપાઈ જવા પામ્યો છે.
દરમ્યાન પો. હેડ કોન્સ. કાસમભાઈ બ્લોચ તથા ગજેન્દ્રસિંહ જાડેજા હકીકત મળેલ કે કાલાવડ પોલીસમથકના આજથી તેરેક વર્ષ પૂર્વેના શ્રી નાથજી દાદાના મંદિરમાં આશરે તેર જેટલા ધાડપાડુઓએ સોનાચાંદીના દાગીનાની લુંટ કરી ફરાર થઇ ગયેલા હોય જે પૈકીના નાસતાફરતા આરોપી શનીયાભાઇ ઉર્ફે છનીયો પાંગળાભાઇ તડવી રહે ખેડા ફળીયુ માંડવ તા.લીમખેડા જી.દાહોદ વાળો હાલ ધ્રોલ તાલુકાના ખાખરા ગામે હાજર હોય જેથી બાતમી હકીકતના આધારે આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે કાલાવડ પોલીસ મથકમાં સોપવામાં આવેલ છે.
આ કાર્યવાહી પેરોલ/ફર્લો સ્કવોડના પી.એસ.આઈ એ.એસ.ગરયર તથા ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, નિર્મળસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી, ભરતભાઈ ડાંગર, રાજેશભાઈ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો. કોન્સ. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ તથા એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ જાડેજાનાઓએ કરેલ છે.