Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં જેટલા બાંધકામો કાયદેસર છે તેનાથી વધુ પ્રમાણમાં કેટલીય ઇમારતો અને ઈમારતોનો ભાગ ગેરકાયદેસર છે, તે મનપાનું ટાઉન પ્લાનિંગ વિભાગ અને એસ્ટેટ વિભાગ જાણે છે, નોટીસો પણ અપાય છે પણ કાઈ ના કરવા પાછળના હર્યાભર્યા કારણો છે, (હા કોઈ કિસ્સામાં વાંધો પડ્યો હોય કે પછી કોઈનું દબાણ હોય તો અલગ) આ બાબતની નોંધ દરવખતે ઓડીટ રીપોર્ટમાં પણ જોવા મળે છે, છતાં કોઈના પેટનું પાણી હલતું નથી, જામનગરમાં કેટલીય ઈમારતો ફાયર એનઓસી વિહોણી, બિલ્ડીંગ વપરાશની પરવાનગી વગરની હશે….જ કારણ કે એટલે જે આજે જામનગર મ્યુ.કમિશનરે એક જાહેર નોટીસ કાઢવાની ફરજ પડી છે, જેમાં જણાવ્યું છે કે…
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોઇપણ બાંધકામ કરતાં પહેલા બાંધકામની વિકાસ પરવાનગી મેળવી લેવા તથા વપરાશ વસવાટ શરૂ કરતાં પહેલા વસવાટની પરવાનગી મેળવવા અંગે કાયદાકીય જોગવાઈ થયેલ છે. તે મુજબ તમામ સંબંધિતોએ તેમના જેનો બાંધકામ માટે વપરાશ વસવાટ પરવાનગી મેળવ્યા બાદ જ વસવાટ શરૂ કરવાનો રહે છે, પરંતુ તેમ છતાં કેટલાક બાંધકામોમાં વપરાશ વસવાટની પરવાનગી મેળવ્યા વગર વપરાશ વસવાટ શરૂ કરેલ હોવાનું ધ્યાને આવેલ છે. આવા તમામ સંબંપિત્ત મિલકત ધારકોએ તેમના જેની વપરાશ મેઠળના બિલ્ડીંગો મકાનોમાં થી જ પી.એમ.સી. એકટ-૧૯૪૯ ની કલમ-૨૬૩ ની જોગવાઈ હેઠળ વપરાશ વસવાટ પરવાનગી મેળવી લેવા આથી તાકીદ કરવામાં આવે છે. વધુમાં આવા બાંધકામો પૈકી એપાર્ટમેન્ટો, કોમર્શીયલ કોમ્પલેક્ષો, શૈક્ષણિક સંકુલો, ઈનસ્ટ્રીયલ બિલ્ડીંગો, રીલીજીયસ બિલ્ડીંગો, વિગેરે જેવા બાંધકામોમાં ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશનની જોગવાઈ અનુસાર પ્રથમ ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેક્રેટી રેગ્યુલેશનની જોગવાઈ મુજબનું ફાયર એન.ઓ.સી. મેળવીને વપરાશ વસવાટ પરવાનગી મેળવવા અંગે જોગવાઈ થયેલ છે.
હાલમાં નામદાર હાઈકોર્ટમાં પી.આઈ.એસ. 118 ઓફ 2020 થી થયેલા દાવા પ્રકરણમાં પણ વપરાશ વસવાટની પરવાનગી તથા ફાયર સેફટી મેઝર્સની જોગવાઈઓના પાલન કરાવવા સંબંધે નામદાર હાઈકોર્ટ ધ્વારા વચગાળાના હુકમો થયેલ જે સંદર્ભે જામનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતા તમામ લોરાઈઝ તથા હાઈરાઈઝ રહેણાક, બિન રહેણાક એપાર્ટમેન્ટ કે જેને વપરાશ પરવાનગી મેળવેલ ન હોય તેમને દિવસ ૮(આઠ) મા આર્કિ. એન્જી. મારફત વપરાશ વસવાટ પરવાનગીની અરજી રજૂ કરીને તાકીદે વપરાશ વસવાટ પરવાનગી મેળવી લેવાની કાર્યવાહી કરવા તથા બિલ્ડીંગોમાં ફાયર સેફટી અંગેની જોગવાઈ લાગુ પડતી હોય તેમાં સંબંધિત ફાયર વિભાગનું એન.ઓ.સી. મેળવી લેવા તમામ ડેવલોપર્સ વપરાશકર્તાઓને તાકીદ કરવામાં આવે છે.
આ જાહેર નોટીસ પડી આપવામાં આવેલ સુચનાઓનો અમલ ન થયેથી, આવો બિનઅધિકૃત વસવાટ ખાલી કરાવવા જી.પી.એમ.સી. એકટ 1949 ની કલમ-268 હેઠળની તેમજ જરૂર જણાયે જેનો મિલકનના ડ્રેનેજ જોડાણ, પાણી જોડાણ કાપવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ પણ જો વપરાશ પરવાનગી મેળવવામાં આવશે નહીં તો સીલીંગ સુધીના કાપવાની કરવામાં આવશે. જેની સંબંધકર્તાઓએ ગંભીર નોંધ લેવીઆ જાહેર નોટીસ જાહેર થઇ પણ 8 દિવસ બાદ મનપાની ટીમ આ જાહેર નોટીસની અમલવારી કરનાર સામે કેવા પ્રકારના પગલાઓ લઇ દાખલો બેસાડશે તે જોવાનું છે.જો કે આવી ઈમારતોની સંખ્યા કેટલી કે સર્વે અંગે ATPO અનીલ ભટ્ટને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે ના આવી કોઈ ઇમારતોનો સર્વે થયેલ નથી.આ જાહેર નોટીસથી લગતને 8 દિવસની તક મનપા દ્વારા આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.